February 5, 2026
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્‍યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્‍યું છે કે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનમાં જ્‍યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ સમયે, મધ્‍યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્‍દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્‍યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

૨૦૨૪ને ધ્‍યાનમાં રાખીને નામ નક્કી કર્યું ભાજપે, રાજસ્‍થાન ઉપરાંત મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતળત્‍વને ધ્‍યાનમાં રાખીને મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતળત્‍વ માટે નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે, શિવરાજ સિંહ મધ્‍યપ્રદેશમાં મુખ્‍યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતળત્‍વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્‍થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્‍યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકે છે.

Related posts

શનિ વક્રી થઈને બનાવશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોને મળશે લાભ

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક દેશ, એક ચૂંટણી ભારતમાં અમલી બનાવવા માટે કેન્દ્ર સરકારે કમર કસી

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો