May 7, 2026
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્‍યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્‍યું છે કે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનમાં જ્‍યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ સમયે, મધ્‍યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્‍દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્‍યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

૨૦૨૪ને ધ્‍યાનમાં રાખીને નામ નક્કી કર્યું ભાજપે, રાજસ્‍થાન ઉપરાંત મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતળત્‍વને ધ્‍યાનમાં રાખીને મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતળત્‍વ માટે નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે, શિવરાજ સિંહ મધ્‍યપ્રદેશમાં મુખ્‍યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતળત્‍વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્‍થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્‍યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકે છે.

Related posts

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ફરી કાઉન્ટ થતા ઇલેક્શનના પરિણામમાં આવ્યો બદલાવ,ફરી કાઉન્ટ કરતા ગીતાબા ચાવડા થયા વિજય

Ahmedabad Samay

હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે

Ahmedabad Samay

નડિયાદમાં ટીપી નં.8માં નિયમોનો ભંગ કરતા રજૂઆત કરાઈ, ખુદ પાલિકાના ભાજપના મહિલા સભ્યએ નગર નિયોજકને રજૂઆત કરી

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો