July 4, 2026
Other

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ સંસ્‍થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્‍યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્‍દુ મંદિરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેનું ઉદ્‍ઘાટન કરશે. આ ઉદ્‌ઘાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્‍યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્‍ય મંદિરનું નિર્માણ રાજસ્‍થાનના ગુલાબી સેન્‍ડસ્‍ટોનમાંથી કરવામાં આવ્‍યું છે અને ૨૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્‍થાપત્‍યની અજાયબી માનવામાં આવે છે.

અરબ અમીરાતમાં બીજાં ૩ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પヘમિ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્‍દુઓ માટે આકર્ષણ કેન્‍દ્ર બની રહેશે. આ ભવ્‍ય મંદિરમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્‍લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્‍તુકલાનો અદ્‌ભૂત નમૂનો છે.

Related posts

લોક મુખે ચર્ચાતા અમદાવાદના ભૂતિયા સ્થળ

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે

Ahmedabad Samay

કાજલબેન હિન્દુસ્તાનીને ફસાવવા ખોટી ફરિયાદો / અરજીઓ સમક્ષ હિન્દૂ સેના કાજલ હિન્દુસ્તાની આપ્યું સમર્થન, કલેક્ટર શ્રીને આપ્યું આવેદનપત્ર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો