July 4, 2026
Other

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ સંસ્‍થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્‍યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્‍દુ મંદિરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેનું ઉદ્‍ઘાટન કરશે. આ ઉદ્‌ઘાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્‍યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્‍ય મંદિરનું નિર્માણ રાજસ્‍થાનના ગુલાબી સેન્‍ડસ્‍ટોનમાંથી કરવામાં આવ્‍યું છે અને ૨૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્‍થાપત્‍યની અજાયબી માનવામાં આવે છે.

અરબ અમીરાતમાં બીજાં ૩ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પヘમિ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્‍દુઓ માટે આકર્ષણ કેન્‍દ્ર બની રહેશે. આ ભવ્‍ય મંદિરમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્‍લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્‍તુકલાનો અદ્‌ભૂત નમૂનો છે.

Related posts

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

ઓનલાઈન ગેમિંગની એવી લત લાગી કે 4 બેંકોમાંથી લીધી 52 લાખની લોન, બધું ગુમાવ્યું, હવે વેચે છે કિડની

admin

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

ધનગર સમાજની મહિલા સરોજ સુરેશ પાલના ઘરમાં આગ લાગી હતી જેનેઅખિલ ભારતીય ધનગર સમાજ મહાસંઘ દ્વારા તેમનું ઘર ફરી સ્થાપિત કરવા અને જીવન જરુતિયાત સામગ્રી આપી સહાય કરી

Ahmedabad Samay

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

Ahmedabad Samay

રિયલ હીરો અને દબંગ એટલે તરુણ બારોટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો