June 14, 2026
Other

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) અને શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ અને સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ જિગીષા બેન પટેલની ઉપસ્થિતિ એ નવી ઉર્જાનો સંચાર કર્યો.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, ચેરમેન ડૉ. જીતુભાઇ બી.પટેલ , સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ, ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ પટેલ, ડો વિશ્વાસ અમીન, આર સી પટેલ, સનેહલભાઈ પટેલ (પીસી સ્નેહલ ગ્રુપ) હાજર રહી ઇનામ વિતરણ કાર્યક્રમને ઓપ આપ્યો હતો .


આ પ્રસંગે કવયિત્રી અને લેખિકા બીનાબહેન પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું અને જણાવ્યું હતું કે , તેજસ્વી બાળકોએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ .તેઓએ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન કરતાં પણ શીખવું પડશે.બીના બહેને પોતાના નવા પુસ્તક ‘સનાતનનો જયઘોષ ‘ભવ્ય રામમંદિર વિષે ઊંડાણપૂર્વક વાત કરી .
આ સુંદર પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સાધ્વીજી મહારાજ ઉપવાસ પર ઉતરવું પડે એવું કામ કોણે કર્યું: હાર્દિક હૂંડિયા

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કઈ રાશિ માટે રહેશે ધંધો રોજગાર સારો, જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી દ્વારા

Ahmedabad Samay

સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ અને અટલ સ્મૃતિ વર્ષ નિમિત્તે મેઘાણીનગર શાળા નં -૪ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Ahmedabad Samay

પદ્મિનીબા વાળાએ રાજકોટના આશાપુરા મંદિરે બેસી અન્નનો ત્યાગ યથાવત

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

બંગાળમાં ભાજપ સરકારના મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીનું નામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો