November 17, 2025
Other

પાટીદાર પરિવાર ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ કરાયું

શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ(લવ-કુશ) અને શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ તરફથી આજ રોજ તેજસ્વી વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો ના ઈનામ વિતરણ અને સન્માન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નરહરિ અમીન, સંસદ સભ્ય, રાજય સભા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પાટીદાર પરિવાર મહિલા વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ જિગીષા બેન પટેલની ઉપસ્થિતિ એ નવી ઉર્જાનો સંચાર કર્યો.
પાટીદાર પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભીખુભાઇ એલ.પટેલ, ચેરમેન ડૉ. જીતુભાઇ બી.પટેલ , સેક્રેટરી રમેશચંદ્ર બી. પટેલ, ટ્રસ્ટીશ્રીઓ બાબુભાઇ પટેલ, ડો વિશ્વાસ અમીન, આર સી પટેલ, સનેહલભાઈ પટેલ (પીસી સ્નેહલ ગ્રુપ) હાજર રહી ઇનામ વિતરણ કાર્યક્રમને ઓપ આપ્યો હતો .


આ પ્રસંગે કવયિત્રી અને લેખિકા બીનાબહેન પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું અને જણાવ્યું હતું કે , તેજસ્વી બાળકોએ જીવનમાં સતત મહેનત કરવી જોઈએ .તેઓએ શિક્ષણની સાથે સાથે આપણી સંસ્કૃતિનું જતન કરતાં પણ શીખવું પડશે.બીના બહેને પોતાના નવા પુસ્તક ‘સનાતનનો જયઘોષ ‘ભવ્ય રામમંદિર વિષે ઊંડાણપૂર્વક વાત કરી .
આ સુંદર પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

PMOના ઉચ્‍ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરાઈ, જાણો મહાઠગની પૂર્ણ વિગત

Ahmedabad Samay

ઈરાન સામે ઈઝરાયેલના જવાબી પગલાની અસર આજે શેરબજારમાં પણ જોવા મળી

Ahmedabad Samay

મહાકુંભમાં મૌની અમાવસ્‍યા પર સ્નાન માટે ભીડ વધી જવાથી ભાગદોડ મચી, ૨૦ જેટલા મૃત્યુ પામ્યા ૫૦ જેટલા શ્રધ્ધાળુઓ ઘવાયા

Ahmedabad Samay

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલ, રાજસ્થાન સ્કૂલ, ઓસ્વાલ ભવન ના ચેરમેન શ્રી પૃથ્વીરાજ (P.R) કાકરીયાજીને અયોધ્યાથી આવેલ અક્ષત અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો