ખેડૂતો દ્વારા આગામી રણનીતિ શુક્રવારે સાંજે નક્કી કરવામાં આવશે. શુક્રવારે સાંજે બેઠક કરીને ખેડૂત સંગઠનો નિર્ણય લેશે. બુધવારે દિલ્હી તરફ કૂચ કરવાનો ખેડૂતોએ પ્રયાસ કર્યો હતો. પોલીસે ખેડૂતોને રોકવા માટે ટીયરગેસના શેલ પણ છોડ્યા હતા. પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ બાદ દિલ્હી કૂચ ટાળી. સરકારે ફરી વાતચીત કરવા માટે અપીલ કરી છે.
આ આમંત્રણ એવા સમયે આપવામાં આવ્યું હતું જ્યારે ખેડૂતો પંજાબથી દિલ્હી સુધી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, શંભુ બોર્ડર પર કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે તેમનો પ્લાન સફળ થયો ન હતો. દરમિયાન તેમણે દિલ્હી જવાનો પ્લાન બે દિવસ માટે મોકૂફ રાખ્યો છે. જો કે આ સમયગાળા દરમિયાન ખેડૂતો શંભુ બોર્ડર પર અટવાયેલા રહેશે. હજારો ખેડૂતો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદેસર ગેરંટી અને કળષિ લોન માફી સહિતની તેમની માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર પડાવ નાખશે.
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે દિલ્હી જવાના નિર્ણય પર બે દિવસનો સ્ટે રહેશે. આ સમયગાળા દરમિયાન શું નિર્ણય લેવાની જરૂર છે તે અમે ધ્યાનમાં લઈશું. આગામી બે દિવસ સુધી ખેડૂતો પરિસ્થિતિનો તાગ મેળવશે અને ભવિષ્યની રણનીતિ વિશે વિચારશે. પોતાની વચ્ચે ચર્ચા કર્યા બાદ શુક્રવારે સાંજે ખેડૂતો તેમના આગામી પગલાની જાહેરાત કરશે. સરકાર મંત્રણા દ્વારા ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ લાવવા માંગે છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે અમે આજે પણ વાતચીત માટે તૈયાર છીએ અને ભવિષ્યમાં પણ તેમ જ રહીશું. કળષિ મંત્રીએ કહ્યું કે અમારી અપીલ છે કે આવા ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા તમામ લોકોએ સંયમ રાખીને વાતચીતમાં ભાગ લેવો જોઈએ અને કાયમી ઉકેલ શોધવો જોઈએ. ઉકેલ શું હોઈ શકે તેના પર ચર્ચા કરીને આગળ વધો અને ઉકેલ શોધો.
બીજી તરફ ભારતીય કિસાન યુનિયન સાથે જોડાયેલા ગુરનામ સિંહ ચદુનીના સમર્થકોએ આજે હરિયાણાના તમામ હાઈવે બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય કિસાન સંઘે પંજાબના ખેડૂતોના સમર્થનમાં આ નિર્ણય લીધો છે. ગુરનામ સિંહ ચદુનીના સમર્થકો બપોરે ૧૨ વાગ્યાથી હરિયાણાના દરેક જિલ્લામાં બે કલાક માટે રસ્તા રોકશે. બપોરે ૨ વાગ્યા પછી ગુરનામ સિંહ ચદુનીના નેતળત્વમાં ભારતીય કિસાન યુનિયનની કોર કમિટીની બેઠક મળશે. બેઠકમાં ખેડૂત આગેવાનો ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરશે.
કેન્દ્ર સરકાર માને છે કે ઘણા લોકો માત્ર રાજનીતિ કરી રહ્યા છે. કેટલાક લોકોને સરકારની દરેક ઓફર ફગાવી દેવામાં રસ હોય છે. સરકારનું કહેવું છે કે તે ખેડૂતો માટે ગંભીર છે. તે જ સમયે, ખેડૂતોનું કહેવું છે કે સરકાર ઈચ્છે છે કે અમે દિલ્હી ન આવી શકીએ. સર્વન સિંહ પંઢેરે કહ્યું કે દિલ્હી જવું એ અમારો અધિકાર છે. અમને શાંતિથી દિલ્હી જવાની મંજૂરી આપવી જોઈએ.
