February 6, 2026
દેશરાજકારણ

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ટૂંક સમયમાં કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. પાર્ટીના મોટાભાગના નેતાઓ તેમને પાર્ટીમાં સામેલ કરવાની તરફેણમાં છે. તેમની વિધાનસભા અને લોકસભા ચૂંટણીની વ્‍યૂહરચના માટેના એક્‍શન પ્‍લાનનો અભ્‍યાસ કરવા માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ પાર્ટી અધ્‍યક્ષને સુપરત કર્યો છે. રિપોર્ટમાં તેમને સામેલ કરવા માટે સંમત થતા પક્ષના નેતાઓએ કહ્યું કે તેમણે અન્‍ય રાજકીય પક્ષોથી પોતાને દૂર રાખવા પડશે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પ્રશાંત કિશોર અનેક રાજકીય પક્ષો સાથે કામ કરી રહ્યા છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસ અને તેલંગાણા રાષ્ટ્ર સમિતિનો સમાવેશ થાય છે. અમે ઈચ્‍છીએ છીએ કે તેઓ અન્‍ય પક્ષોથી અલગ રહે અને માત્ર કોંગ્રેસ માટે જ કામ કરે. પાર્ટી અધ્‍યક્ષ સોનિયા ગાંધી ટૂંક સમયમાં ઔપચારિક જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ અધ્‍યક્ષ અને રાહુલ ગાંધી સાથે ચર્ચા કર્યા બાદ પાર્ટીમાં તેમની ભૂમિકા નક્કી કરવામાં આવશે.

પ્રશાંતે તેના વતી કેટલીક માંગણીઓ પણ કરી છે. તે તેની કાર્ય યોજનાને અમલમાં મૂકવા માટે મુક્‍ત હાથ માંગે છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે પ્રશાંત માત્ર કોંગ્રેસ અધ્‍યક્ષને રિપોર્ટ કરવા માગે છે. આ સાથે, તે ચૂંટણીવાળા રાજયોમાં વ્‍યૂહરચના લાગુ કરવા માટે જરૂરી સત્તાઓ પણ ઈચ્‍છે છે. આ તમામ બાબતોને ધ્‍યાનમાં રાખીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.

દરમિયાન પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે ૧૦ જનપથ ખાતે લાંબી બેઠક યોજી હતી. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર હતા. સોનિયા ગાંધી ટૂંક સમયમાં રાહુલ ગાંધી સાથે આ અંગે ચર્ચા કરીને અંતિમ નિર્ણય લઈ શકે છે. પાર્ટીના નેતા અને પ્રશાંતના એક્‍શન પ્‍લાનનો અભ્‍યાસ કરવા માટે રચવામાં આવેલી સમિતિના સભ્‍ય દિગ્‍વિજય સિંહે કહ્યું કે તેમણે ચૂંટણી રણનીતિકાર તરીકે જે કહ્યું છે તે સારા ફોર્મેટમાં છે. ઘણા સારા સૂચનો છે. તેમણે સ્‍પષ્ટતા કરી હતી કે તેમને પાર્ટીમાં જોડાવામાં કોઈ વાંધો નથી.”

Related posts

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay

ભારત સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના નિયમોમાં કર્યા મોટા ફેરફાર, ૦૧ એપ્રિલથી થશે નિયમો લાગુ

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો