લોકસભાની ચુંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહયો છે. તેમ તેમ રાજકીય વર્તુળોના ચુંટણીમાં કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચાઓ થઇ રહી છે. ભાજપે ર૬ માંથી ૧પ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
અગત્યની વાત તો એ છે કે આગામી તા.૧ર મી માર્ચના રોજ ભારતના વડાપ્રધાન અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહયા છે. તેઓ મોડી સાંજે દિલ્હી પરત ફરશે.અમદાવાદની આ મુલાકાત બાદ તા.૧૩ અથવા ૧૪ના ૧૮ મી લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થાય તેમ સ્પષ્ટ દેખાઇ રહયું છે.
ભાજપ દ્વારા જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તે ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં શુભેચ્છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે. નવા જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે પોતાની બેઠક જીતવા માટે મહેનત કરવી પડશે.
બીજી તરફ કોંગ્રેસ પક્ષ હજુ સુષુપ્ત અવસ્થામાં જણાય છે. હજુ સુધી એક પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી હવે કયારે કરશે તે જોવાનું રહયું.
