અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અને અસારવા રાજપૂત પરિવાર દ્વારા આજ રોજ ભોગીલાલ ની નવી ચાલી ના નાકે જોગણી માતાના મંદિર પાસે અસારવા અમદાવાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાની ઓફિસે રાખવામાં આવ્યો.
ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા રાજપુત સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉપરોક્ત સ્થળે હાજર રહી પેન અને શુભેચ્છા પત્ર મેળવેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ આર દરબાર કૌશિકસિંહ ચૌહાણ કમલેશસિંહ ચાવડા જયદીપસિંહ પરમાર નરેન્દ્રસિંહ ચાવડા તેમજ રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત આગેવાનોએ પેન અને શુભેચ્છા પત્ર આપી તેઓને બોર્ડની પરીક્ષા સુખરૂપે પૂર્ણ થાય અને તેઓ સારી ટકાવારી મેળવી પાસ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.
