June 24, 2026
ગુજરાત

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અને અસારવા રાજપૂત પરિવાર દ્વારા આજ રોજ ભોગીલાલ ની નવી ચાલી ના નાકે જોગણી માતાના મંદિર પાસે અસારવા અમદાવાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાની ઓફિસે રાખવામાં આવ્યો.

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા રાજપુત સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉપરોક્ત સ્થળે હાજર રહી પેન અને શુભેચ્છા પત્ર મેળવેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ આર દરબાર કૌશિકસિંહ ચૌહાણ કમલેશસિંહ ચાવડા જયદીપસિંહ પરમાર નરેન્દ્રસિંહ ચાવડા તેમજ રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત આગેવાનોએ પેન અને શુભેચ્છા પત્ર આપી તેઓને બોર્ડની પરીક્ષા સુખરૂપે પૂર્ણ થાય અને તેઓ સારી ટકાવારી મેળવી પાસ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

ગુજરાતમાં કમળ ખીલ્યું,ડબલ એન્‍જીન સરકારનું સુત્ર વ્‍હેતુ મુકયુ હતું જેને લોકોએ વધાવી ભાજપને ખોબલે ખોબલે મત આપ્‍યા

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો