August 7, 2026
ગુજરાત

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ ક્ષત્રિય સમાજ કરી રહ્યા છે. ત્‍યારે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલે આ અંગે હકારાત્‍મક પ્રયાસો થઇ રહ્યા હોવાનું જણાવ્‍યુ છે.

ક્ષત્રિય સમાજના વિરોધ અંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી. આર પાટીલે ઘણો જ શાંતિથી જવાબ આપ્‍યો છે. તેમણે જણાવ્‍યુ છે કે, ‘ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, હું, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. અમારી આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે. આ મામલે સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયત્‍નો છે. અમે આ બાબતે ગંભીર છીએ.’

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે આ કાર્યક્રમમાં જણાવ્‍યુ હતુ કે, ગુજરાતની જનતા તમામ ૨૬ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને પુનઃ આશીર્વાદ આપશે એવો દ્રઢ વિશ્વાસ છે. વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત ભારતને બનાવવાની છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્‍યુ કે, મોદીની ગેરંટી એટલે કામ પુરી થવાની ગેંરટી હોય છે.

જોકે, રવિવારે રાજકોટના રતનપર ખાતે ક્ષત્રિય મહાસંમેલન મળ્‍યુ હતુ. જેમા રાજપૂત સમાજે જણાવ્‍યુ છે કે, ૧૯મી એપ્રિલ સુધી પરશોત્તમ રૂપાલાનું ફોર્મ પાછું નહીં ખેંચાય તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્‍ડ ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્‍ચારવામાં આવી છે. દેશભરમાંથી ક્ષત્રિયો ત્‍યાં આવશે તેમ પણ જણાવ્‍યુ છે. પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય તે જ ક્ષત્રિય સમાજની માંગ છે. આ સાથે તેમણે સંમેલનમાં એમ પણ જણાવ્‍યુ કે, ‘ અહીં વગર આમંત્રણે ક્ષત્રિયો લાખોની સંખ્‍યામાં ભેગા થયા છીએ. એ પણ બે જ દિવસની મુદતમાં. હું મારા ક્ષત્રિય સમાજની લાગણી સમજું છું, ભાજપવાળા સમજતા નથી કે, રૂપાલા તમને રૂપાળા કેમ લાગે છે. આખો સમાજ એક બાજું અને એક વ્‍યક્‍તિને હટાવી નથી શકતા. ભાજપને ૪૦૦ પાર કરવા ટિકિટ જોઈએ છીએ. રાજપૂતોને ટિકિટ આપો તો ૫૦૦ પાર થઈ જશે. આ સભા પૂર્ણ થાયને અમે ઘરે જઈએ અને તમે બ્રેકિંગ ન્‍યૂઝ આપો કે રૂપાલા હટી ગયા.

આજે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે. રૂપાલા આવતીકાલે બપોરે ૧૨.૩૯ વાગ્‍યે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે સવારે ૯ વાગ્‍યે તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરશે. બાદમાં રૂપાલાના સમર્થન રેલી યોજાશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવનચોક ખાતે પૂર્ણ થશે.ત્‍યારબાદ સવારે ૧૦:૩૦ વાગ્‍યે બહુમાળી ભવનચોક ખાતે જાહેર સભા યોજાશે. આ સભ પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે. હાલમાં બહુમાળી ભવન ખાતે સભા સ્‍થળે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

બી.જે.પી. ની યાદી જાહેર

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

શેલબી હોસ્પિટલમાં લીવર સિરોસિસથી પીડાતી ગર્ભવતી મહિલાની સફળ સામાન્ય પ્રસ્તુતિ કરાવાઇ

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો