August 13, 2026
તાજા સમાચારરાજકારણ

દિલ્‍હી વિધાનસભાના મત EVM માં થયા કે, ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરાશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે,

દિલ્‍હી વિધાનસભા ચૂંટણી માટે  સવારથી જ મતદાન મથકો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી,  દિલ્‍હીના ૧.૫૬ કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરી લગભગ ૭૦૦ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પરિણામો ૮ ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક દિગ્‍ગજોએ તેના મતાધિકારનો ઉપયોગ કર્યો. બપોર સુધીમાં અંદાજે ૪૫ ટકા મતદાન થયું હોવાના અહેવાલ છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર પૈસા વહેંચવાનો આરોપ મુકયો છે.

બીજેપીએ આરોપ લગાવ્‍યો કે સીલમપુરમાં બુરખા પહેરેલી મહિલાઓને નકલી મતદાન કરાવવા માટે મજબુર કરવામાં આવી રહી છે.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદ કેન્‍દ્રીય વિદ્યાલયમાં મતદાન કર્યું.આમ આદમી પાર્ટીના નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્‍તારના ધારાસભ્‍ય ઉમેદવાર મનીષ સિસોદિયાએ નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારના લેડી ઇરવિન સિનિયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે સ્‍થાપિત મતદાન મથક પર મતદાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ દિલ્‍હીના મતદારોને ખાસ અપીલ કરી છે. પીએમ મોદીએ X પર પોસ્‍ટ કરીને લખ્‍યું, દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં આજે બધી બેઠકો માટે મતદાન થશે. હું અહીંના મતદારોને લોકશાહીના આ ઉત્‍સવમાં પૂરા ઉત્‍સાહ સાથે ભાગ લેવા અને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરું છું. આ પ્રસંગે, પહેલી વાર મતદાન કરવા જઈ રહેલા તમામ યુવા મિત્રોને મારી ખાસ શુભેચ્‍છાઓ. યાદ રાખો- પહેલા મતદાન, પછી નાસ્‍તો!

રાષ્‍ટ્રીય રાજધાની તમામ ૭૦ વિધાનસભા બેઠકો માટે મતદાન કરીને પોતાની નવી સરકારની પસંદગી કરશે. દિલ્‍હીમાં સ્‍પર્ધા ત્રિકોણીય છે, જેમાં ૨૦૨૫ની દિલ્‍હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ મેદાનમાં છે.

અરવિંદ કેજરીવાલની AAP સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખવા માટે લડી રહી છે. જ્‍યારે ભાજપ ૨૭ વર્ષથી રાષ્‍ટ્રીય રાજધાનીમાં સત્તામાં નથી. ૧૫ વર્ષ સુધી દિલ્‍હી પર શાસન કરનાર કોંગ્રેસ દિલ્‍હી વિધાનસભા પર પોતાનો ખોવાયેલો નિયંત્રણ પાછો મેળવવા માટે ચૂંટણી લડી રહી છે.

Related posts

પૂનમ પાંડે, મોડેલ અને રિયાલિટી ટીવી સ્ટાર, સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

દેશના અનેક ભાગોમાં ‘આપ’ના કાર્યકરોએ દેખાવો અને ચક્કાજામ કર્યા

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો