November 14, 2025
ગુજરાતરાજકારણ

દિનેશ શર્માના રાજીનામાં પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામુ આપી દેતાં છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતાં વિવાદનો અંત આવ્યો છે. આ રાજીનામા પાછળના કારણો પરથી પડદો ઊંચકાયો છે.રાજયસભાની ચૂંટણી વખતે ધારાસભ્યો શૈલેષ પરમાર તથા હિંમતસિંહ પટેલને આપેલું વચન કોંગ્રેસ હાઇકમાન્ડે પાળ્યું છે. સૂત્રો પ્રમાણે જો તેઓએ આ વચન ના પાળ્યું હોત તો ૦૮ ધારાસભ્યોના બદલે ૧૦ ધારાસભ્યોના રાજીનામાં પડયાં હોત છે. આ વચન ભાગરુપે જ કોંગ્રેસ હાઇ કમાન્ડે બંને ધારાસભ્યોની વાત માનીને દિનેશ શર્માનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ અંગે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, હું આ બાબતમાં કાંઇ જાણતો નથી, કહેવા પણ માંગતો નથી. આ તો પાર્ટીની પ્રક્રિયા છે પ્રદેશ પ્રમુખ સંગઠનના વડા છે. અમે કોઇ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામાંની વાત કરી નથી. અમે પક્ષમાં વફાદાર રહ્યા છીએ. અમે કોઇ આવી વાત કરી નથી. અમે રાજીનામાંની પણ માંગ કરી નથી. બધી ખોટી વાત છે. બધાં ખોટી વાત ચલાવે છે. કોર્પોરેશનનો ઇસ્યુ કોર્પોરેશન કક્ષાએ ચાલે છે. અમારું નામ કેમ ચાલે છે તે જ સમજાતું નથી.

વિરોધ પક્ષના નેતા પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ  ખાલી પડેલા આ પદ પર બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર કમળાબેન ચાવડા, અમરાઇવાડીના કાઉન્સિલર બળદેવભાઈ દેસાઇ તથા વિરાટનગર વોર્ડના કાઉન્સિલર રણજીતસીંહ બારડના નામો ની ચર્ચા ચાલી રહી છે.

Related posts

આજથી પાંચ મોટા ફેરફાર,આમ જનતાના જીવન પર કરશે અસર

Ahmedabad Samay

આજે રાજીવ ગાંધીની 79મી જન્મજયંતિ, લદ્દાખમાં રાહુલ ગાંધીએ આપી પિતાને શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

બીજેપી હેલ્પડેસ્ક અને લીલાધર ખડકે દ્વારા ૪૦ દિવસના માનવીરની અદ્દભુત મદદ કરી

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો