March 26, 2026
ગુજરાત

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી,

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળ પાસે એક મકાન ધરાશાયી થયું છે. માણેકચોકમાં મકાન ધરાશાયી થતા લોકોમાં નાસભાગ જોવા મળી હતી. ભરચક વિસ્તારમાં મકાન ધરાશાયી થયાના સમાચાર મળતાની સાથે જ ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના માણેકચોકની ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 2 લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ફાયરની ટીમ સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ. હાલમાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

અચાનક મકાન ધરાશાયી થતા પડોશીઓ મેદાનમાં આવી ગયા

અમદાવાદની પોળોમાં અનેક મકાનો વર્ષોથી બનેલા છે, જે જર્જરિત થતા મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. અહીં માણેકચોકની પોળમાં મકાન ધરાશાયી થતા બે લોકો ફસાયા હોવાનું અનુમાન છે.  ત્રણ માળનું મકાન અચાનક ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતા તેની બાજુના મકાનોમાં રહેતા લોકો પણ તાત્કાલિક મકાન ખાલી કરીને નીચે મેદાનમાં આવી ગયા હતા.

પોલીસ આ ઘટના અંગે કરશે તપાસ

અચાનક ત્રણ માળનું મકાન ધરાશાયી થતા તંત્ર તેની તપાસ કરશે કે મકાન જર્જરિત હોવાથી ધરાશાયી થયું છે કે  કોઈ શખ્સ દ્વારા ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

Related posts

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

વડોદરા: વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં, બાકી વેરાના 190 કરોડનો લક્ષ્યાંક હાંસલ કરવા કડક કાર્યવાહી

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

ડોકટરે નર્શને જમવાના બહાને ગેસ્ટહાઉસ લઇ જઇ છેડતી કરી

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

Ahmedabad Samay

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો