March 19, 2026
ગુજરાત

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

ગુજરાત સરકારે રંગમચ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લામાંથી કલાકારોને વિધાસભામાં બોલાવ્યા હતા. થોડા દિવસ પહેલા અમુક કલાકારોને જ વિધાનસભામાં કેમ બોલાવ્યા તે મુદ્દા સાથે ગુજરાતી અભિનેતા અને કલાકાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં આવ્યા નથી. ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે પોતે મુદ્દો ઉઠાવ્યો કે સરકાર કલાકારોને બોલાવતી નથી અને હવે બોલાવ્યા તો આવતા કેમ નથી? વિધાનસભા ન જવા પાછળ વિક્રમ ઠાકોરે કારણ પણ જણાવ્યું છે.

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

પોતે વિધાનસભામાં કેમ ન ગયા તે અંગે વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો હું વિધાનસભામાં જઈશ તો લોકો એવું કહેશે કે જો પોતાનું સન્માન કરાવવું હતું એટલે મુદ્દો ઉઠાવ્યો. પરંતુ મેં તો તમામ સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં મુખ્યમંત્રીને મળવાનું થશે તો હું ચોક્કસ જઈશ.

Related posts

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

Ahmedabad Samay

જાણો આજે ક્યાં મંત્રીને કઇ જવાબદારી ક્યુ ખાતુ ફાળવવામાં આવ્યું

Ahmedabad Samay

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કોમ્પલેક્ષ ધરાશાયી

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો