July 4, 2026
ગુજરાત

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

ગુજરાત સરકારે રંગમચ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લામાંથી કલાકારોને વિધાસભામાં બોલાવ્યા હતા. થોડા દિવસ પહેલા અમુક કલાકારોને જ વિધાનસભામાં કેમ બોલાવ્યા તે મુદ્દા સાથે ગુજરાતી અભિનેતા અને કલાકાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં આવ્યા નથી. ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે પોતે મુદ્દો ઉઠાવ્યો કે સરકાર કલાકારોને બોલાવતી નથી અને હવે બોલાવ્યા તો આવતા કેમ નથી? વિધાનસભા ન જવા પાછળ વિક્રમ ઠાકોરે કારણ પણ જણાવ્યું છે.

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

પોતે વિધાનસભામાં કેમ ન ગયા તે અંગે વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો હું વિધાનસભામાં જઈશ તો લોકો એવું કહેશે કે જો પોતાનું સન્માન કરાવવું હતું એટલે મુદ્દો ઉઠાવ્યો. પરંતુ મેં તો તમામ સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં મુખ્યમંત્રીને મળવાનું થશે તો હું ચોક્કસ જઈશ.

Related posts

સુરત: નિવૃત્ત મામલતદારના ઘરે સાફ-સફાઈ કરવા આવેલી બે મહિલા ઘરઘાટીએ પહેલા જ દિવસે હાથ સાફ કર્યો, 7.80 લાખના દાગીના લઈ ફરાર થઈ

Ahmedabad Samay

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

AAP નો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર કર્યો, દારૂના અડ્ડા બંધ થશે કે બંધબારણે સેટિંગમાં બેસસે

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો