May 21, 2026
ગુજરાત

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

ગુજરાત સરકારે રંગમચ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લામાંથી કલાકારોને વિધાસભામાં બોલાવ્યા હતા. થોડા દિવસ પહેલા અમુક કલાકારોને જ વિધાનસભામાં કેમ બોલાવ્યા તે મુદ્દા સાથે ગુજરાતી અભિનેતા અને કલાકાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં આવ્યા નથી. ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે પોતે મુદ્દો ઉઠાવ્યો કે સરકાર કલાકારોને બોલાવતી નથી અને હવે બોલાવ્યા તો આવતા કેમ નથી? વિધાનસભા ન જવા પાછળ વિક્રમ ઠાકોરે કારણ પણ જણાવ્યું છે.

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

પોતે વિધાનસભામાં કેમ ન ગયા તે અંગે વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો હું વિધાનસભામાં જઈશ તો લોકો એવું કહેશે કે જો પોતાનું સન્માન કરાવવું હતું એટલે મુદ્દો ઉઠાવ્યો. પરંતુ મેં તો તમામ સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં મુખ્યમંત્રીને મળવાનું થશે તો હું ચોક્કસ જઈશ.

Related posts

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

કેશુબાપા અને નરેશ – મહેશ કનોડિયાના નિવાસસ્થાને જઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

૦૮ મહાનગરોમાં ૩૧ જૂલાઈ થી રાત્રિના ૧૧ થી સવારે ૦૬ વાગ્યા સુધીનો રહેશે

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો