અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેતા મૃતક લક્ષ્મીબહેન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી હતી જે સાસરીપક્ષ ના સભ્યો ને પસંદ ન હતુ અને પરીક્ષા ની તૈયારી ના કરે એ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતું હતુ અને બીજા ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવતા હતા અને વારંવાર હેરાન કરવામા આવતુ હતુ જેમ કે ઘર નુ કામ નથી કરતી , ખોટા પૈસા વાપરે એવા ઘણા બધા આક્ષેપો કરવામા આવતા હતા .
મૃતક નુ સાસરી શ્યામસંગા ની પોળ , સારંગપુર મા આવેલ છે અને ત્યાં ના પોલીસ સ્ટેશન મા ઘટના ની રિપોર્ટ કરયા પછી પોલીસ તંત્ર દ્વારા વડે આગળ ની કાર્યવાહી હાથ ધરવામા આવી છે . પિયરપક્ષ વાળાઓ તરફથી ખાડિયા પોલીસ સ્ટેશન ની સામે ધરણા પ્રદર્શન કરવામા આવી રહ્યુ છે અને લક્ષ્મી અને ૦૫ માસ ના બાળક ને ન્યાય મળે એની માંગ કરવામા આવી રહી છે .
