આમ આદમી પાર્ટીનો જીગ્નેશ મેવાણીને ટેકો જાહેર થયો છે, દારૂ અને ડ્રગ્સના મુદ્દાને ઉઠાવવા બદલ આમ આદમી પાર્ટીએ મેવાણીને સમર્થન આપ્યું છે.અને કહ્યું હતું કે લોકોના પ્રશ્નો માટે કોંગ્રેસને સમર્થન આપીશું. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ વિરુદ્ધ કોંગ્રેસ નેતાએ આંદોલન કર્યું છે
આમ આદમી પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યો છે કે, ગૃહમંત્રી નાના પોલીસ કર્મચારીના પરિવારના લોકોને રસ્તા પર ઉતારે છે, પણ અમારે પુછવું છે કે, મેવાણીનો વિરોધ કરવા માટે ગૃહ પ્રધાન કેમ કોઈ IPS અધિકારીના પરિવારના લોકોને રોડ પર નથી ઉતારતા. કોંગ્રેસે ભલે ખેડૂતના આંદોલનમાં આમ આદમી પાર્ટીને સમર્થન ના આપ્યું હોય, અમે ભ્રષ્ટાચાર, કૌભાડ, દારૂ અને ડ્રગ્સના વિરોધ બાબતે કોંગ્રેસને સમર્થન આપીશું.
લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પર્ટીએ દારૂ અને ડ્રગ્સના વિરોધમાં જે આંદોલન ચલાવ્યું છે તો તે બંધ કરાવશે કે સરકાર સાથે બંધ બારણે સેટિંગમાં બેસસે, જો આંદોલન ચાલુ રહ્યું અને ગુજરાતમાં દારૂ બંધ થયું તો સાચો જનતાનો નેતા અને જો ન થયું અને બંધ બારણે સેટિંગ બેસી તો પાક્કો રાજકીય જે પોતાની પોલિટિકલ રોટલી શેકી જનતાને ગેર માર્ગે દોર્યા.
