- બનાસકાંઠામાં કમકમાટી ભરી દુર્ઘટના સર્જાયેલ છે. જેમાં ઉંબરી નામના ગામમાં, વીજળીનો શોર્ટ લાગતા, માતા અને પુત્ર સહિત ત્રણના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યા છે,
- ફિલ્મ અભિનેતા મનોજકુમારના મુંબઈ ખાતે આજે અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે,
- દિલ્હીની ભાજપ સરકારે આજથી આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી,
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીલંકાના પ્રેસિડેન્ટને મળી રહ્યા છે,
- પશ્ચિમ બંગાળમાં રામ નવમીને લીધે હાઈ એલર્ટ જાહેર, સુરક્ષાના સજ્જડ બંદોબસ્ત.
- યુપીના ગાજીપુર પંથકમાં માતેલા સાંઢ જેવા બેકાબુ ટ્રેલરે ઝૂંપડીમાં સુતેલા પાંચ ગરીબ લોકોને કચડી નાખ્યા, ૩ બાળકોના સ્થળ પર મોત, બે ગંભીર,
- ચીનના એકાદ ડઝન લશ્કરી વિમાનો અને છ નૌકા જહાજો વહેલી સવારે તાઈવાનની આસપાસ જોવા મળ્યા હતા. જેમાંના કેટલાક તાઇવાનના હવાઈ ક્ષેત્રની અંદર પ્રવેશી ગયેલ,
- “રાહુલ ગાંધીજી કૃપા કરીને તેલંગાણામાં અમારા જંગલો કાપવાનું બંધ કરો” દિલ્હીમાં અનેક સ્થળોએ ભાજપના નેતા તજીન્દર બગાએ હોર્ડિંગ્સ લગાવ્યા
