May 24, 2026
ગુજરાત

અંબાલાલ પટેલે પણ તોફાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૨૨ એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે,  રાજ્યમાં કેટલાક જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. તેમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગમાં પણ ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં આવતીકાલે બપોર પછી ધૂળની ડમરીઓ ઉડશે.

અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ગરમીમાં આગામી સમયમાં ઘટાડો જોવા મળશે. એપ્રિલમાં ગરમી વધવી જોઈએ, પરંતુ તેના બદલે ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે. તારીખ 22 બાદ ગરમીમાં વધારો થવાની શક્યતા છે. તારીખ 26 બાદ પણ રાજ્યમાં ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના અમુક ભાગોમાં 40 ડિગ્રીથી ઉપર પારો જઈ શકે છે.

આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ જોવા મળશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ત્યા સુધી ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે. પવનનું જોર ઘણું રહેશે. કચ્છના ભાગોમાં પણ પવનની ગતિ 45 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. રાજ્યના ભાગોમાં પણ 25થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહી શકે છે. આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે

Related posts

રેલવે મંત્રાલયે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર વેજ મીલ (સ્ટાન્ડર્ડ કેસરોલ)ની કિંમત અને તેનું સંપૂર્ણ મેનુ શેર કર્યું

Ahmedabad Samay

આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ બાદ 1 થી 5 ધોરણ પ્રાથમીક શાળામાં શરૂ થશે

Ahmedabad Samay

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો