લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવા મનજુરી આપી.

લોકડાઉનમાં અલગ અલગ રાજ્યમાં ફસાયેલા લોકો માટે રાહતના સમાચાર, કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મનજુરી આપેલ છે, PM આવાસમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ બેઠકમાં અમિત શાહ, રેલ મંત્રી, બિપીન રાવત, પીએમ સચિવ પી.કે. મિશ્રા હાજર રહ્યા હતા જેમાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે શરૂ કરી તેમને તેમના રાજ્યમાં પોહચડવા પરવાનગી આપવામાં આવી છે,
અલગ અલગ સ્થળો પર ફસાયેલા પ્રવાસી,મજૂરો,વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓના આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે સમન્વય સ્થાપિત કરી રેલ મંત્રાલય દ્વારા અનેક નોડલ અધિકારી ની નિયુક્તિ કરવામાં આવશે.
