March 25, 2026
ગુજરાતધર્મ

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

ઘણા લોકો આજે પણ ઘરના મુખ્ય દરવાજા પર અન્ય તોરણ લગાવ્યા વગર આસોપાલવનું તોરણ લગાવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના ઘરોમાં આસોપાલવનો તોરણ લગાવાય છે. શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ છે. ત્યારે ચાલો જાણીએ આસોપાલવનું તોરણ ઘરના દરવાજા પર લગાવવાથી શું લાભ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અસોપાલવના પાનનું તોરણ લગાવો છો તો નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
અસોપાલવના પાનને પૂજામાં શુભ માનવામાં આવે છે. તેથી, દેવી દુર્ગાને પ્રસન્ન કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે. આથી ઘણા ઘરોમાં આજે પણ અસોપાલવના પાનનું તોરણ લગાવવામાં આવે છે.
અસોપાલવનું વૃક્ષ શાંતિ, સૌભાગ્ય અને શુભ પ્રસંગો સાથે સંકળાયેલું છે. તેથી, તમારે ચોક્કસપણે તેનું તોરણ તમારા ઘરમાં લટકાવું જોઈએ.
નવરાત્રી જેવા પવિત્ર સમય દરમિયાન, આ તોરણ ઘરની પવિત્રતા અને સકારાત્મકતા વધારે છે. અસોપાલવના પાન ખરાબ શક્તિઓને દૂર રાખે છે અને ખરાબ નજરથી રક્ષણ આપે છે.
પુરાણો અનુસાર, અસોપાલવના વૃક્ષને દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાનું પ્રિય માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અસોપાલવના પાનનું તોરણ લટકાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. તેથી, નવરાત્રીના શુભ પ્રસંગે, તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ તોરણ લગાવવું જોઈએ

Related posts

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો

Ahmedabad Samay

રક્ષક જ બન્યા ભક્ષક: પાલક પિતાએ બે માસ સુધી સાવકી પુત્રી પર શારીરિક અડપલા કરી ધમકી આપતા

Ahmedabad Samay

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો