June 24, 2026
ગુજરાતધર્મ

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

ઘણા લોકો આજે પણ ઘરના મુખ્ય દરવાજા પર અન્ય તોરણ લગાવ્યા વગર આસોપાલવનું તોરણ લગાવે છે. નવરાત્રી દરમિયાન મોટાભાગના ઘરોમાં આસોપાલવનો તોરણ લગાવાય છે. શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ છે. ત્યારે ચાલો જાણીએ આસોપાલવનું તોરણ ઘરના દરવાજા પર લગાવવાથી શું લાભ થાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અસોપાલવના પાનનું તોરણ લગાવો છો તો નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
અસોપાલવના પાનને પૂજામાં શુભ માનવામાં આવે છે. તેથી, દેવી દુર્ગાને પ્રસન્ન કરવાની આ એક સરળ અને અસરકારક રીત છે. આથી ઘણા ઘરોમાં આજે પણ અસોપાલવના પાનનું તોરણ લગાવવામાં આવે છે.
અસોપાલવનું વૃક્ષ શાંતિ, સૌભાગ્ય અને શુભ પ્રસંગો સાથે સંકળાયેલું છે. તેથી, તમારે ચોક્કસપણે તેનું તોરણ તમારા ઘરમાં લટકાવું જોઈએ.
નવરાત્રી જેવા પવિત્ર સમય દરમિયાન, આ તોરણ ઘરની પવિત્રતા અને સકારાત્મકતા વધારે છે. અસોપાલવના પાન ખરાબ શક્તિઓને દૂર રાખે છે અને ખરાબ નજરથી રક્ષણ આપે છે.
પુરાણો અનુસાર, અસોપાલવના વૃક્ષને દેવી લક્ષ્મી અને દેવી દુર્ગાનું પ્રિય માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અસોપાલવના પાનનું તોરણ લટકાવવાથી દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે. તેથી, નવરાત્રીના શુભ પ્રસંગે, તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર આ તોરણ લગાવવું જોઈએ

Related posts

અમદાવાદ: લાંચ માગનાર AMC કર્મચારીની ધરપકડ, ગેરકાયદેસર પાણીની પાઇપલાઇન નાખવા માગી હતી લાંચ

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા નાલંદા ગૃપનુ અભિયાન

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો