May 9, 2026
ગુજરાત

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

પોલખોલ યુટ્યુબ ચેનલના નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તોડબાજ પત્રકાર આશિષ કણજારીયા વિરુદ્ધ વધુ ફરીયાદ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી ખંડણી માગી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે કરી અને શાળાઓમાંથી પૈસા પડાવ્યાના મામલે આશિષની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ પોલીસ રિમાન્ડ પર છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસ આ મામસે વધુ તપાસ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આશિષે સ્કૂલોના સંચાલકો પાસેથી ધમકી આપીને રુપિયા પડાવ્યા છે. આરોપી આરટીઆઈ કરીને સ્કૂલોના સંચાલકોને વોટ્સએપ કોલ કરી દબાવીને ધમકી આપતો હતો. ત્યારે અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30થી જેટલી સ્કૂલો સામે આરટીઆઈ કરીને વિગતો મેળવી હતી.

Related posts

રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત, શિક્ષિત બેરોજગારો આંદોલન કારી બન્યા.

Ahmedabad Samay

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા ધોરણ -૧૦ ના રીપિટર વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત

Ahmedabad Samay

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો