February 6, 2026
ગુજરાત

અમદાવાદ – આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આશિષ કણજારીયા વિરુદ્ધ ફરિયાદ

પોલખોલ યુટ્યુબ ચેનલના નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તોડબાજ પત્રકાર આશિષ કણજારીયા વિરુદ્ધ વધુ ફરીયાદ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી ખંડણી માગી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે કરી અને શાળાઓમાંથી પૈસા પડાવ્યાના મામલે આશિષની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ પોલીસ રિમાન્ડ પર છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસ આ મામસે વધુ તપાસ કરશે.

પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આશિષે સ્કૂલોના સંચાલકો પાસેથી ધમકી આપીને રુપિયા પડાવ્યા છે. આરોપી આરટીઆઈ કરીને સ્કૂલોના સંચાલકોને વોટ્સએપ કોલ કરી દબાવીને ધમકી આપતો હતો. ત્યારે અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30થી જેટલી સ્કૂલો સામે આરટીઆઈ કરીને વિગતો મેળવી હતી.

Related posts

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને શિક્ષણ ક્ષેત્રે 1001 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને ઓરિએન્ટ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધવાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો