May 2, 2026
દેશરાજકારણ

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

બિહારમાં રેકોર્ડબ્રેક વોટિંગ થયા બાદ આજે સવારથી તમામ ૨૪૩ બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ છે. ૧૦ વાગ્‍યે પ્રાપ્‍ત થતા તમામ બેઠકોના ટ્રેન્‍ડ અનુસાદ રાજ્‍યમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી છે અર્યાત રાજ્‍યમાં સત્તાનું સુકાન ફરી એકવખત એનડીએના હાથમાં આવી રહયું છે.

રાજ્‍યમાં પીએમ મોદી અને સીએમ નીતિશ કુમારનો ‘જાદુ’ ફરી એક વખત ચાલી ગયો છે. ટ્રેન્‍ડમાં જ એનડીએને બે તૃત્‍યાંશ બહુમતી મળી ગઈ છે જ્‍યારે રાજદ-કોંગ્રેસ વગેરેના બનેલા મહાગઠબંધનની હવા નીકળી ગઈ છે રાજ્‍યમાં પ્રશાંત કિશોરના પક્ષનું નામોનિશાન જોવા મળતું નથી. આ લખાય છે ત્‍યારે રાજ્‍યની ૨૪૩ બેઠકોના ટ્રેન્‍ડ મળ્‍યા છે તેમાંથી ૧૬૩ બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહયા છે જ્‍યારે ૭૭ બેઠક પર મહાગઠબંધન આગળ ચાલી રહયું છે. એનડીએમાં જેડીયું ૭૩, ભાજપ ૭૨, એલજેપી ૧૪ અને અન્‍ય ૪ બેઠક પર આગળ છે. જ્‍યારે મહાગઠબંધનમાં રાજદ ૫૮, કોંગ્રેસ ૧૫, વીઆઈપી ૧, અને અન્‍ય ૩ બેઠકો પર આગળ છે.

અત્રે એ નોંધનીય છે કે, કુલ ૨૪૩ બેઠકમાંથી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર રહે છે. રાજય માટે જાહેર થયેલા એકઝીટ પોલ સાચા ઠર્યા છે.

અત્‍યાર સુધીના મત ગણતરીના વલણો આ વખતે તેજશ્વી સરકારની આશાઓને મોટો ફટકો આપી રહ્યા હોય તેવું લાગે છે. શરૂઆતના વલણોએ માત્ર RJD ની સત્તામાં આવવાની આશાઓ પર પાણી ફેરવી દીધું નથી, પરંતુ પાર્ટી ભાજપ અને JDU થી પાછળ રહીને ત્રીજા સ્‍થાને આવી રહી હોય તેવું લાગે છે. ઘણા એક્‍ઝિટ પોલમાં RJD ફરી એકવાર સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવશે તેવી આગાહી કરવામાં આવી હતી.

એ નોંધવું યોગ્‍ય છે કે એક્‍સિસ માય ઇન્‍ડિયા એક્‍ઝિટ પોલ, જે સૌથી વિશ્વસનીય હોવાનો દાવો કરે છે, તેમાં આગાહી કરવામાં આવી હતી કે NDA સરકાર બનાવશે, પરંતુ RJD મહત્તમ ૨૪% મત મેળવશે અને ૬૭ થી ૭૬ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનશે. તેમાં મોટા ભાઈના બિરુદ માટે ભાજપ અને JDU વચ્‍ચે નજીકની સ્‍પર્ધાની આગાહી કરવામાં આવી હતી.

કેન્‍દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે ભાજપ બિહારમાં વાપસી કરી રહ્યું છે અને પヘમિ બંગાળમાં સરકાર બનાવવા માટે લાઇનમાં છે. બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી દરમિયાન, ગિરિરાજ સિંહે આજતકને કહ્યું, બિહારની જીત આપણી છે, હવે બંગાળનો વારો છે.

તેમણે વધુમાં કહ્યું, આપણે બંગાળમાં પણ જીતીશું; ત્‍યાં અરાજકતાની સરકાર છે. તેજસ્‍વી યાદવે ચૂંટણી પંચ પાસેથી પ્રમાણપત્ર મેળવ્‍યા વિના ૧૮મી તારીખ પણ નક્કી કરી. તેમને રાંચી અને આગ્રાથી પરત ફરેલા માનવામાં આવશે.

તેમની આગાહી એવા સમયે આવી છે જ્‍યારે બિહાર ચૂંટણીમાં NDA જંગી જીત તરફ આગળ વધી રહ્યું છે.

મહાગઠબંધન

કુલ  બેઠક ર૪૩

ટ્રેન્ડ              ર૪૩

રાજદ            પ૮

કોગ્રેસ           ૧પ

વીઆઇપી       ૧

અન્ય            ૩

બિહાર

કુલ  બેઠક ર૪૩

ટ્રેન્ડ              ર૪૩

એનડીએ                 ૧૬૦

મહાગઠબંધન    ૭૮

અન્ય            ૫

એનડીએ

કુલ  બેઠક ર૪૩

ટ્રેન્ડ              ર૪૩

ભાજપ          ૭૦

જેડીયુ            ૭૩

એલજેપી                 ૧૪

અન્ય            ૪

Related posts

૮૩ વર્ષના થાય ત્યાં સુધી પુતિન રાજગાદી પર બેસશે, પુતિને રશિયાનું બંધારણ બદલ્યું

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

Ahmedabad Samay

અમદાવાદ: આમ આદમી પાર્ટીને બે દિવસમાં લાગ્યો બીજો મોટો ફટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ છોડ્યો પક્ષ

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો