August 7, 2026
પ્રેમાનંદ મહારાજ
ધર્મ

આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી

ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું જીવનમાં વધતું દેવું પછલા જન્‍મના કર્મોનું પરિણામ છે? જ્‍યારે પરિસ્‍થિતિઓ બગડે છે, પૈસા હાથમાંથી ફિસલવા લાગે છે અને દેવું ચૂકવવાનો દબાણ વધે છે, ત્‍યારે માણસ પોતાની હાલતને કિસ્‍મત સાથે જોડે છે. આવી જ ઉલઝણમાં એક ભક્‍તે પ્રેમાનંદજી મહારાજને પ્રશ્ન કર્યો. તેમનો જવાબ ખૂબ સરળ, સીધો અને જીવનને સાચી દિશા આપનાર છે.

મહારાજજીએ સ્‍પષ્ટ કહ્યું કે આજના માણસની સૌથી મોટી મુશ્‍કેલી છે દેખાવ. લોકો પોતાની હદથી વધારે ખર્ચ કરીને નામ બતાવવા માંગે છે. ઘર, વાહન કે સંતાનના લગ્ન. દરેક જગ્‍યાએ ચમક-દમક બતાવવાની ઈચ્‍છા ઘણા પરિવારોને દેવામાં ડૂબાડી દે છે. મહારાજજીનો સંદેશ માત્ર આધ્‍યાત્‍મિક નથી, પણ રોજિદા જીવન સાથે પણ જોડાયેલો છે. તેમનું કહેવું છે કે જો માણસ પોતાની હદ સમજીને ચાલે, તો કર્જ જીવનમાં આવી જ નહીં શકે.

પ્રેમાનંદજી મહારાજે સ્‍પષ્ટ શબ્‍દોમાં કહ્યું કે દેવું વધવું પાછલા જન્‍મના કર્મોનું પરિણામ નથી, પણ માણસની પોતાની ભૂલ છે. સાચું કારણ એ છે કે લોકો પોતાની ક્ષમતા કરતાં વધારે મોટી વસ્‍તુઓ મેળવવા ઈચ્‍છે છે. જ્‍યારે ઓછી આવકમાં મોટું ઘર જોઈએ, મોંઘી કાર જોઈએ અથવા લગ્નમાં અનાવશ્‍યક ખર્ચ બતાવવો હોય, ત્‍યારે દેવાનો બોજ વધે છે.

તેમના અનુસાર, જો કોઈ વ્‍યક્‍તિ પાસે સાયકલ ચલાવવાની ક્ષમતા હોય, તો તેને એમાં સંતોષ રાખવો જોઈએ. છુપાઈને મોંઘા શોખ રાખીને બેંક કે કોઈ વ્‍યક્‍તિ પાસેથી ઉધાર લેવું સમજદારી નથી, પણ મુશ્‍કેલીને આમંત્રણ છે. લગ્ન જેવા પવિત્ર કામમાં પણ લોકો બીજાને પ્રભાવિત કરવા માટે જરૂર કરતાં વધારે ખર્ચ કરે છે, જ્‍યારે એ જ કામ ઓછા પૈસામાં પણ સન્‍માનપૂર્વક થઈ શકે છે.

મહારાજજી કહે છે કે દેવું લેવું માત્ર આર્થિક બોજ નથી, એ માનસિક તણાવ પણ આપે છે. ઘણા લોકો દેવું ચૂકવવામાં જીવનનો મોટો ભાગ પસાર કરી દે છે, છતાં છૂટકારો નથી મળતો. તેમણે એ પણ કહ્યું કે જો દેવું અધૂરું રહી જાય, તો એનો અસર આગળના જન્‍મ પર પણ પડી શકે છે. કઈ સ્‍થિતિમાં, કઈ રીતે, કયા રૂપમાં દેવું ચૂકવવું પડે એ અંદાજ લગાવવું પણ મુશ્‍કેલ છે. એટલે દેવાને હંમેશા ગંભીર વિષય માનવો જોઈએ.

મહારાજજીનો સંદેશ છે કે માણસે પોતાની હદમાં રહીને જીવવું જોઈએ. જેટલું છે, એમાં સંતોષ રાખવો એ સાચી સમજદારી છે. પૈસાનો ઉપયોગ દેખાવ માટે નહીં, પણ જીવવા માટે કરવો જોઈએ. ગાડી-મકાનની હોડમાં પડીને ઉધાર લેવું માત્ર દુઃખને આમંત્રણ છે.

તેમની વાતોમાંથી એ શીખ મળે છે કે ચમક-દમક એ સાચી સફળતા નથી. સાચી સફળતા એ છે કે દેવા વગર, હલકા મનથી, શાંતિથી જીવન જીવવું. જો માણસ પોતાને કાબૂમાં રાખે અને ખર્ચ વિચારવીને કરે, તો દેવાની નોબત જ ન આવે

Related posts

ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્‍ટ્રેશન શરૂ

Ahmedabad Samay

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

ગુરુ મેષ રાશિમાં સંક્રમણમાં જઈ રહ્યો છે, રાહુ સાથે યુતિને કારણે ગુરુ ચાંડાલ યોગ બનશે; 4 રાશિઓ પર સંકટ

Ahmedabad Samay

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું, પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો