May 10, 2026
ધર્મ

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું, પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા

મહાકુંભ મેળામાં  સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્‍યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્‍તાનથી પણ ૬૮ જેટલા શ્રદ્ધાળુઓ ભારત પહોંચ્‍યા છે.

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું હતું. બધા શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર તાાન કર્યું હતું. ત્‍યારબાદ તેમના પૂર્વજોની અસ્‍થિઓને સંગમમાં વિસર્જિત કરી હતી. મહાકુંભની વ્‍યવસ્‍થા અને સનાતન આસ્‍થાના દિવ્‍ય ભવ્‍ય આયોજનને જોઈને બધા પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા હતા.

પાકિસ્‍તાનના શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોની અસ્‍થિઓનું વિસર્જન કરવા માટે ખાસ વિઝા સાથે પ્રયાગરાજ આવ્‍યા હતા. સિંધથી આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ જણાવ્‍યું કે મહાકુંભની અવાજ મીડિયાથી અમે સાંભળી ત્‍યારથી જ અમને અહી આવવાની ઉત્‍સુકતા હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ કરોડો લોકોમાં ભાગીદાર બન્‍યા છીએ. તેમણે કહ્યું કે રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા પણ ખૂબ જ સારી છે. તેઓ અહીથી હરિદ્વાર સહિતના અન્‍ય તીર્થ સ્‍થાનોમાં પણ જવાનાં છીએ.

Related posts

અયોધ્યા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક બેઠક યોજાઈ, ટ્રસ્ટે સભામાં આવક અને ખર્ચનો અહેવાલ રજૂ કર્યો

Ahmedabad Samay

પૈસાની લેવડ-દેવડ અને પૂજામાં જમણો હાથ જ માનવામાં આવે છે શુભ, જાણો શું છે આનું કારણ

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

તુલસી પર આ સમયે ચઢાવવું જોઈએ જળ, જાણો કેવી રીતે કરવી તુલસીની પૂજા અને કાળજી

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા.

Ahmedabad Samay

દેવી-દેવતાઓની તસવીર દાન કરવી જોઈએ કે નહીં? જાણો આ જરૂરી વાત, નહીં તો બરબાદ થઈ જશે જીવન!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો