March 25, 2025
ધર્મ

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું, પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા

મહાકુંભ મેળામાં  સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્‍યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્‍તાનથી પણ ૬૮ જેટલા શ્રદ્ધાળુઓ ભારત પહોંચ્‍યા છે.

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું હતું. બધા શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર તાાન કર્યું હતું. ત્‍યારબાદ તેમના પૂર્વજોની અસ્‍થિઓને સંગમમાં વિસર્જિત કરી હતી. મહાકુંભની વ્‍યવસ્‍થા અને સનાતન આસ્‍થાના દિવ્‍ય ભવ્‍ય આયોજનને જોઈને બધા પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા હતા.

પાકિસ્‍તાનના શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોની અસ્‍થિઓનું વિસર્જન કરવા માટે ખાસ વિઝા સાથે પ્રયાગરાજ આવ્‍યા હતા. સિંધથી આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ જણાવ્‍યું કે મહાકુંભની અવાજ મીડિયાથી અમે સાંભળી ત્‍યારથી જ અમને અહી આવવાની ઉત્‍સુકતા હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ કરોડો લોકોમાં ભાગીદાર બન્‍યા છીએ. તેમણે કહ્યું કે રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા પણ ખૂબ જ સારી છે. તેઓ અહીથી હરિદ્વાર સહિતના અન્‍ય તીર્થ સ્‍થાનોમાં પણ જવાનાં છીએ.

Related posts

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

Ahmedabad Samay

જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા આ સપ્તાહ કઈ રાશિના જાતક માટે રહેશે સફળતાપૂર્વક,

Ahmedabad Samay

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

9 દિવસ પછી ખુલશે આ 3 રાશિઓનું ભાગ્ય, ચારે બાજુથી થશે ધનનો વરસાદ; તિજોરી ભરવામાં આવશે

Ahmedabad Samay

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

Ahmedabad Samay

આ 4 તારીખે જન્મેલા લોકો મજબૂતીથી નથી જાળવી શકતા કોઈપણ સંબંધ, સ્વભાવ હોય છે શંકાશીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો