June 24, 2026
ધર્મ

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું, પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા

મહાકુંભ મેળામાં  સમગ્ર ભારતથી જ નહિ પરંતુ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચ્‍યા છે. જો કે ખાસ નોંધવા જેવુ છે પાડોશી દેશ પાકિસ્‍તાનથી પણ ૬૮ જેટલા શ્રદ્ધાળુઓ ભારત પહોંચ્‍યા છે.

મહાકુંભમાં પાડોશી દેશ પાકિસ્‍તાનના સિંધ પ્રાંતના ૬૮ હિન્‍દુ શ્રદ્ધાળુનું એક જૂથ પ્રયાગરાજ પહોંચ્‍યું હતું. બધા શ્રદ્ધાળુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર તાાન કર્યું હતું. ત્‍યારબાદ તેમના પૂર્વજોની અસ્‍થિઓને સંગમમાં વિસર્જિત કરી હતી. મહાકુંભની વ્‍યવસ્‍થા અને સનાતન આસ્‍થાના દિવ્‍ય ભવ્‍ય આયોજનને જોઈને બધા પાકિસ્‍તાની શ્રદ્ધાળુઓ અભિભૂત થઈ ગયા હતા.

પાકિસ્‍તાનના શ્રદ્ધાળુઓ તેમના પૂર્વજોની અસ્‍થિઓનું વિસર્જન કરવા માટે ખાસ વિઝા સાથે પ્રયાગરાજ આવ્‍યા હતા. સિંધથી આવેલા હિંદુ શ્રદ્ધાળુઓએ જણાવ્‍યું કે મહાકુંભની અવાજ મીડિયાથી અમે સાંભળી ત્‍યારથી જ અમને અહી આવવાની ઉત્‍સુકતા હતી. તેમણે કહ્યું કે અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ કરોડો લોકોમાં ભાગીદાર બન્‍યા છીએ. તેમણે કહ્યું કે રહેવાની અને જમવાની વ્‍યવસ્‍થા પણ ખૂબ જ સારી છે. તેઓ અહીથી હરિદ્વાર સહિતના અન્‍ય તીર્થ સ્‍થાનોમાં પણ જવાનાં છીએ.

Related posts

આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી

Ahmedabad Samay

જાણો ગણેશ ચતુર્થી પૂજા અને મૂર્તિ સ્થાપનનો શુભ સમય કયો છે? ગણેશ ચતુર્થીના દિવસે અભિજિત મુહૂર્તમાં ગણપતિની સ્થાપના કરો

Ahmedabad Samay

રાજકોટમાં હજારો વૈષ્ણવો ઉમટ્યા: વલ્લભ યુદ્ધ ઓર્ગેનાઈઝેશન દ્વારા રસિયા, ફુલફાગનાં ઉત્સવનું આયોજન

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

શુક્રની મહાદશા આપે છે રાજા જેવું જીવન, 20 વર્ષમાં ફ્લોરથી સિંહાસન સુધી લઈ જશે!

Ahmedabad Samay

ખમાસા ખાતે આવેલું શ્રી ભંડારેશ્વર મહાદેવ મંદિર જિણોદ્વાર પછી ભક્તો માટે મંદિર ખુલ્લુ રહે તે માટે શ્રાવણ વદ નોમ એ લઘુરુદ્ર હવન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો