અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના : અમદાવાદના નરોડામાં મુકિતધામ પાસે આવેલ અમરનાથ એસ્ટેટમાં ગઇ મધ રાત્રે અગરબત્તીના કારખાનામાં વિનાશક આગ ફાટી નીકળી હતી. ચારેક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવેલ. અગરબત્તીના કારખાનામાં તુરંત સળગી ઉઠે તેવા પદાર્થોનો મોટો જથ્થો હોઇ સમગ્ર કારખાનું આગની લપેટમાં આવી જતા આસપાસની ર ડઝનથી વધુ સોસાયટીમાં ભય ફેલાયો હતો. જોકે કોઇ જાનહાની સર્જાયેલ નથી.
