February 6, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના નૌતમ સ્‍વામીએ આ વખતે હિન્‍દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્‍વામી કહ્યું  કે, ભાજપના રાજના કારણે હિન્‍દુઓ આજે ગર્વથી મસ્‍તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર ૫૦૦ ફૂટમાં હતું. ૫ લાખ સ્‍ક્‍વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્‍ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્‍દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્‍ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્‍લાન કોઇ હેરીડીટરીમાં જન્‍મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું છે.                                                                                                                   સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્‍મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્‍દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્‍દી એ હિન્‍દુઓની શતાબ્‍દી છે એટલે યાદ રાખીને જેટલા હિન્‍દુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્‍વાર્થ ભૂલીને અને રસ્‍તો બન્‍યો કે ન બન્‍યો એમાં પડ્‍યા વગર ભાજપને જ મત આપવા અપીલ કરૂ છું.

Related posts

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં વરસાદી પાણી ભરતા રાજેન્દ્રસિંહ સોલંકી દ્વારા પાણીનું નિકાલ કરવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

આજ રોજ છે ‘કામિકા એકાદશી’, જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા એકાદશીની મહિમા

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો