May 8, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

વડતાલ સ્‍વામિનારાયણ મંદિરના નૌતમ સ્‍વામીએ આ વખતે હિન્‍દુઓને આંખ બંધ કરીને ભાજપ માટે વોટ આપવાની અપીલ કરી છે. આ અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં નૌતમ સ્‍વામી કહ્યું  કે, ભાજપના રાજના કારણે હિન્‍દુઓ આજે ગર્વથી મસ્‍તક ઊંચું રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર ૫૦૦ ફૂટમાં હતું. ૫ લાખ સ્‍ક્‍વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્‍ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્‍દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્‍ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્‍લાન કોઇ હેરીડીટરીમાં જન્‍મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્‍દ્રભાઇ મોદીએ કર્યું છે.                                                                                                                   સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય શ્રી રામજન્‍મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્‍દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્‍દી એ હિન્‍દુઓની શતાબ્‍દી છે એટલે યાદ રાખીને જેટલા હિન્‍દુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો નાના મોટા સ્‍વાર્થ ભૂલીને અને રસ્‍તો બન્‍યો કે ન બન્‍યો એમાં પડ્‍યા વગર ભાજપને જ મત આપવા અપીલ કરૂ છું.

Related posts

સફરજન બોક્ષની આડમાં વિદેશી દારૂ લઇ જતા ઝડપાયું, રૂ.૩૦.૩૦ લાખનો મુદ્દા માલ જપ્ત

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો