અમદાવાદમાં આંગણવાડીમાં કામ કરતા કર્મચારીના દીકરાએ UPSC ક્લિયર કરી છે. દીકરાની સફળતા બાદ પરિવાર ભાવુક થયો હતો. મકરબા આંગણવાડીમાં કામ કરતા રેખાબેન ચૌહાણના દીકરાએ UPSC ક્લિયર કરી પરિવારને ગર્વ અપાવ્યું છે.
જૈનેશ ચૌહાણે UPSC માં 589 મો ક્રમાંક મેળવ્યો છે. આંગણવાડીમાં કામ કરતા રેખાબેનનું સપનું હતું કે, તેમનો દીકરો પણ અધિકારી બને. જૈનેશે પાંચમા પ્રયત્ન પર UPSC માં સફળતા મેળવી છે. દરેક નિષ્ફળતાને પરિવારે સેલિબ્રેટ કરી હિંમત આપી કે તું કરી શકીશ.
