અંબાજીના માર્બલના વેપારી ધર્મેન્દ્રભાઈ રાજપૂતના દીકરા દિલ્હી ખાતે રહીને યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા અને અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું છે,
યુપીએસસી પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગ 427 ક્રમાંક સાથે અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત દિલ્લી ખાતે યુપીએસસીની તૈયારી કરતો હતો અને રોજના 12 કલાક અભ્યાસ કરતો હતો.
અંકિતકુમાર રાજપુત નાનપણથી ભણવામાં હોશિયાર હોઈ તેઓ અભ્યાસ પ્રત્યે ભારે રુચિ ધરાવતા હતા અને તેમની ઈચ્છા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા પાસ કરવાની હતી તે આજે સફળ થઈ છે. અંકિત કુમારે અંબાજીનું ગૌરવ વધારેલ છે.
