નિયંત્રણ રેખા પર તે છેલ્લા કેટલાક દિવસથી સતત સંઘર્ષ-વિરામનો ભંગ કરીને ગોળીબાર કરી રહ્યું હતું. જેના વળતા જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે .
જમ્મુ-કાશ્મીરના પુંછ સેકટરમાં છેલ્લા ૩ દિવસથી પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારનો શનિવારે ભારતીય સેનાએ આકરો જવાબ આપતાં ૩ થી ૪ પાક સૈનિકોને ઠાર માર્યા હતા. આ કાર્યવાહીમાં અન્ય પ પાકિસ્તાની સૈનિકો ગંભીર રૂપે ઘાયલ થયા અને પાકિસ્તાન સેનાની ૪ ચોકીઓના ફુરચેફુરચા ઉડાડી દીધા છે.
