May 7, 2026
ગુજરાતદેશ

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો  દર્દીમાં કોઈ લક્ષણ જોવા ન મળે તો તેેને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા પરીક્ષણની કોઈ જરૂર નહિ હોય. આવા  વ્યકિતને સલાહ  આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ઘરે આઈસોલેશનમાં રહેવું પડશે ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે. જો કે ગંભીર રોગો  સામે લડી રહેલ કોરોના પીડિત દર્દી પર નિર્ણય તેમની સ્થિતિને જોઈને  ડોક્ટર નિર્ણય લેશે.

દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. માટે હોસ્પિટલો પાસે દર્દીઓને ભરતી કરવાનુ સંકટ ઉભુ થયુ છે.  હાલમાં જયાં સુધી ૨૪ કલાકની અંદર બે વાર આરટી અને પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ કોરોના દર્દીને સ્વસ્થ માનવામાં  આવતો નહોતો. હોસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. નવા ગાઈડલાઈન પ્રમાણે હવે એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં વધુ ૧૨ હોસ્પિટલ ને કોવિડ-૧૯ જાહેર કરાઇ.

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો

Ahmedabad Samay

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો