June 22, 2026
ગુજરાતદેશ

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો  દર્દીમાં કોઈ લક્ષણ જોવા ન મળે તો તેેને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા પરીક્ષણની કોઈ જરૂર નહિ હોય. આવા  વ્યકિતને સલાહ  આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ઘરે આઈસોલેશનમાં રહેવું પડશે ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે. જો કે ગંભીર રોગો  સામે લડી રહેલ કોરોના પીડિત દર્દી પર નિર્ણય તેમની સ્થિતિને જોઈને  ડોક્ટર નિર્ણય લેશે.

દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. માટે હોસ્પિટલો પાસે દર્દીઓને ભરતી કરવાનુ સંકટ ઉભુ થયુ છે.  હાલમાં જયાં સુધી ૨૪ કલાકની અંદર બે વાર આરટી અને પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ કોરોના દર્દીને સ્વસ્થ માનવામાં  આવતો નહોતો. હોસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. નવા ગાઈડલાઈન પ્રમાણે હવે એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.

Related posts

ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ કેસ મામલે થઈ શકે છે તત્કાલિક સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ- ચાંદલોડીયામાં નવું ફાયર સ્ટેશન, નવા સ્ટાફ ક્વાર્ટર બનશે, 1007 લાખથી વધુના કામને એએમસીની મંજૂરી

Ahmedabad Samay

મથુરા અને કાશીમાં ભવ્ય શ્રી રામ મંદિરના નિર્માણ માટે ટૂંક સમયમાં વિચારણા કરવામાં આવશે

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો