આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કોરોના વાયરસના રોગીઓ માટે સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી જારી કરી છે. આ સુધારેલી ડિસ્ચાર્જ પોલિસી મુજબ જો દર્દીમાં કોઈ લક્ષણ જોવા ન મળે તો તેેને દસ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડિસ્ચાર્જ પહેલા પરીક્ષણની કોઈ જરૂર નહિ હોય. આવા વ્યકિતને સલાહ આપવામાં આવશે કે તે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ઘરે આઈસોલેશનમાં રહેવું પડશે ગાઈડલાઈનનુ પાલન કરવુ પડશે. જો કે ગંભીર રોગો સામે લડી રહેલ કોરોના પીડિત દર્દી પર નિર્ણય તેમની સ્થિતિને જોઈને ડોક્ટર નિર્ણય લેશે.
દેશમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૬૦ હજારને પાર પહોંચી ગઈ છે. માટે હોસ્પિટલો પાસે દર્દીઓને ભરતી કરવાનુ સંકટ ઉભુ થયુ છે. હાલમાં જયાં સુધી ૨૪ કલાકની અંદર બે વાર આરટી અને પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ ન આવી જાય ત્યાં સુધી કોઈ પણ કોરોના દર્દીને સ્વસ્થ માનવામાં આવતો નહોતો. હોસ્પિટલમાં ભરતી દર્દીઓ માટે નવા દિશા-નિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. નવા ગાઈડલાઈન પ્રમાણે હવે એક ટેસ્ટનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.
