July 30, 2026
અપરાધદેશ

PM નરેન્‍દ્ર મોદી સહિત સુરક્ષા દળો પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સામે કાનૂની પગલા લેવાશે

જંતર-મંતર પર CJP પ્રોટેસ્‍ટ દરમિયાન હિસાના મામલામાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને દેશનો માહોલ ખરાબ કરનારા વિરુદ્ધ દિલ્‍હી પોલીસે એક્‍શન લેવાની શરૂઆત કરી દીધી છે.

ભ્રામક સમાચારો, નકલી વીડિયો અને પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી સહિત સુરક્ષા દળો પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરનારા સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સ પર દિલ્‍હી પોલીસની વિશેષ IFSO (Intelligence Fusion and Strategic Operations) યુનિટ કડક વલણ અપનાવી રહી છે. પોલીસે દુનિયાના ચાર સૌથી મોટા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ, ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ અને યુટ્‍યુબને ભારતીય ન્‍યાય સંહિતાની ધારાઓ અંતર્ગત નોટિસ ફટકારી છે.

દિલ્‍હી પોલીસ તરફથી આપવામાં આવેલી આ નોટિસમાં સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મને સ્‍પષ્ટ નિર્દેશ આપ્‍યા છે કે CJP પ્રોટેસ્‍ટ સાથે જોડાયેલી તમામ એવી પોસ્‍ટ, વીડિયો અને નકલી નેરેટિવને તરત હટાવવામાં આવે જે દેશના સૌહાર્દ બગાડવાની નિયતથી શેર કરવામાં આવ્‍યા હતા. તપાસમાં સામે આવ્‍યું છે કે હિસા દરમિયાન હજારોની સંખ્‍યામાં નકલી વીડિયો અને ખોટી જાણકારી શેર કરવામાં આવી, જેનાથી લોકોની વચ્‍ચે ભ્રમની સ્‍થિતિ પેદા થઈ.

નોટિસમાં દિલ્‍હી પોલીસે એ સોશિયલ મીડિયા હેન્‍ડલ્‍સની જાણકારી અને ડેટા માગ્‍યા છે, જેનો ઉપયોગ દેશના ટોપ નેતૃત્‍વ અને સુરક્ષા એજન્‍સીઓ વિરુદ્ધ અભદ્ર શબ્‍દાવલીનો પ્રયોગ કરવા માટે કર્યો. તેમાંથી કેટલાય તથાકથિત ડિજિટલ ન્‍યૂઝ પોર્ટલ્‍સ અને નામી સોશિયલ મીડિયા ઇન્‍ફલુએન્‍સર્સના હેન્‍ડલ્‍સ પણ સામેલ છે, જેના પર પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક કન્‍ટેન્‍ટ પોસ્‍ટ કરવામાં આવ્‍યું હતું. પોલીસ હવે આ હેન્‍ડલ્‍સને ચલાવનારા ચહેરાઓનો પર્દાફાશ કરવાની તૈયારીમાં છે.

સાઇબર ક્રાઇમના કેસો જોતી દિલ્‍હી પોલીસની સ્‍પેશિયલ IFSO યુનિટ હવે આ તમામ શંકાસ્‍પદ અકાઉન્‍ટ્‍સને શોર્ટલિસ્‍ટ કરી રહી છે, જેનાથી નફરત ફેલાવનારી સામગ્રીને પ્રમોટ કરવામાં આવી. પોલીસનું માનવું છે કે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મનો દુરુપયોગ એક જાણી જોઈને કરવામાં આવેલા કાવતરાં અંતર્ગત નકલી નેરેટિવ ફેલાવવાની કોશિશ હતી. પ્‍લેટફોર્મ્‍સ પાસે જવાબ અને ડેટા મળતા જ અભદ્ર ભાષા અને ભ્રામક જાણકારી ફેલાવનારા આરોપીઓને નોટિસ જાહેર કરી પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

Related posts

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલના ઉપર ઓપરેશન સિંદૂર હુમલાઓમાં, ત્રણેય આતંકવાદી સંગઠનોના વડાઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા

Ahmedabad Samay

કર્ણાટકના રાજકારણમાં એક નિર્ણાયક વળાંક, ડી કે શિવકુમાર નવા મુખ્ય મંત્રી

Ahmedabad Samay

રામ મંદિરના અભિષેકને હવે ગણતરીના કલાકો જ બાકી

Ahmedabad Samay

નરોડા પોલીસની સુંદર કામગીરી, માથાંભારે શખ્સ વિરુદ્ધ થઇ કાર્યવાહી

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો