August 10, 2026
દેશરાજકારણ

CJP કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની RHA ‘Reservation Hatao Andolan ની એન્ટ્રી,ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા

પરીક્ષા વિવાદને લઈ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની ચર્ચા થવા લાગી છે. ‘Reservation Hatao Andolan (RHA)’ નામથી ચાલી રહેલા આ ઓનલાઈન અભિયાને ખૂબ જ ટૂંકા સમયમાં ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા છે. ત્‍યાર બાદ હવે અનામત નીતિ અને જાતિગત ઓળખને લઈને નવી ચર્ચા છંછેડાઈ ગઈ છે.

ખુદને સંપૂર્ણપણે બિન રાજકીય નાગરિક આંદોલન ગણાવતા આ સંગઠનનો દાવો છે કે, તેમનો ઉદ્દેશ્‍ય કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન અથવા વિરોધ કરવાનો નથી, પણ અનામત વ્‍યવસ્‍થા પર રાષ્ટ્રીય સ્‍તર પર ચર્ચા શરુ કરવાનો છે.

ઇન્‍સ્‍ટાગ્રામ પર reservationhataomovement નામથી બનેલા આ પેજ પર ૧૦૯ પોસ્‍ટ છે. સંગઠનની પ્રોફાઇલમાં ડો. ભીમરાવ આંબેડકરના પ્રસિદ્ધ નારા Educate-Agitate-Organize એટલે કે, શિક્ષિત બનો, સંગઠિત બનોને અપનાવવામાં આવ્‍યો છે. તેની સાથે જ હિન્‍દીમાં લખ્‍યું છે કે, સારી જાતિ એક સમાન, મેરા બસ એ દેશ મહાન. પ્રોફાઇલનું સમાપન જય હિન્‍દ સાથે કર્યું છે.

આ સંગઠને પોતાની એક પોસ્‍ટમાં સ્‍પષ્ટ કર્યું છે કે તેમને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પોસ્‍ટમાં કહેવાયું છે કે, કેટલાય નાગરિકોની માફક તેમને પણ આશા હતી કે સરકાર અનામત વ્‍યવસ્‍થામાં મોટા પાયે સુધારો કરશે, પણ આવું થયું નહીં.

સંગઠનનું કહેવું છે કે અનામતનો મુદ્દો કોઈ પાર્ટીનો નહીં પણ નીતિનો વિષય છે અને એટલા માટે તેને રાજકીય ચશ્‍માથી ન જોવો જોઈએ. તેમનો દાવો છે કે આ સંપૂર્ણ રીતે નાગરિકો તરફથી ચલાવવામાં આવેલું સ્‍વતંત્ર અભિયાન છે.

આ અનામત હટાવો આંદોલનનું કહેવું છે કે, જો દેશમાંથી જાતિગત ભેદભાવ ખતમ કરવો છે તો સૌથી પહેલા સરકારી વ્‍યવસ્‍થામાં જાતિની ઓળખ સમાપ્ત કરવી પડશે. સ્‍કૂલ, કોલેજ અને નોકરી અને અન્‍ય સરકારી પ્રક્રિયાઓમાં જાતિ પૂછવાની વ્‍યવસ્‍થા ખતમ થાય. દેશમાં એક દેશ, એક ઓળખ ભારતીયની અવધારણા લાગુ થાય. અભિયાનનો અંતિમ નારો છે અનામત હટાવો, જાતિવાદ હટાવો. સીજેપી આંદોલન બાદ વધ્‍યા આવા અભિયાન સીજેપીના ૪૯ દિવસ સુધી ચાલેલું આંદોલન અને તેની માગો પર સરકારી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા જન અભિયાનોને નવી ઊર્જા મળી છે. આ ક્રમમાં હાલમાં જ ઈ૨૦ જનતા પાર્ટી નામથી એક નવું અભિયાન સામે આવ્‍યું છે. આ જૂથ સરકારની ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ નીતિનો વિરોધ કરી રહ્યું છે. તેમની માગ છે કે લોકોને ૧૦૦ ટકા પેટ્રોલ ખરીદવાનો વિકલ્‍પ મળે. સાથે જ કેન્‍દ્રીય સડક પરિવહન મંત્રીના રાજીનામાની પણ માગ થઈ રહી છે. દિલ્‍હી ટેક્‍સી અને ટૂરિસ્‍ટ ટ્રાન્‍સપોર્ટ્‍સ સંગઠનોએ પણ ૪ ઓગસ્‍ટને સંસદનું એલાન કર્યું છે, જેનાથી આ મુદ્દાને વધારે બળ મળવાની સંભાવના છે.

Related posts

BSNL એ ચીન સાથેના સાધનોનું ટેન્ડર અંતે રદ્દ કર્યુ

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ છે, જાણો બજેટની મહત્વની વાતો

Ahmedabad Samay

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો