July 28, 2026
દેશરાજકારણ

CJP કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની RHA ‘Reservation Hatao Andolan ની એન્ટ્રી,ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા

પરીક્ષા વિવાદને લઈ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર બીજા એક મોટા જન અભિયાનની ચર્ચા થવા લાગી છે. ‘Reservation Hatao Andolan (RHA)’ નામથી ચાલી રહેલા આ ઓનલાઈન અભિયાને ખૂબ જ ટૂંકા સમયમાં ઇન્‍સ્‍ટાગ્રામ પર ૪૬ લાખથી વધારે ફોલોઅર્સ કરી લીધા છે. ત્‍યાર બાદ હવે અનામત નીતિ અને જાતિગત ઓળખને લઈને નવી ચર્ચા છંછેડાઈ ગઈ છે.

ખુદને સંપૂર્ણપણે બિન રાજકીય નાગરિક આંદોલન ગણાવતા આ સંગઠનનો દાવો છે કે, તેમનો ઉદ્દેશ્‍ય કોઈ રાજકીય પાર્ટીનું સમર્થન અથવા વિરોધ કરવાનો નથી, પણ અનામત વ્‍યવસ્‍થા પર રાષ્ટ્રીય સ્‍તર પર ચર્ચા શરુ કરવાનો છે.

ઇન્‍સ્‍ટાગ્રામ પર reservationhataomovement નામથી બનેલા આ પેજ પર ૧૦૯ પોસ્‍ટ છે. સંગઠનની પ્રોફાઇલમાં ડો. ભીમરાવ આંબેડકરના પ્રસિદ્ધ નારા Educate-Agitate-Organize એટલે કે, શિક્ષિત બનો, સંગઠિત બનોને અપનાવવામાં આવ્‍યો છે. તેની સાથે જ હિન્‍દીમાં લખ્‍યું છે કે, સારી જાતિ એક સમાન, મેરા બસ એ દેશ મહાન. પ્રોફાઇલનું સમાપન જય હિન્‍દ સાથે કર્યું છે.

આ સંગઠને પોતાની એક પોસ્‍ટમાં સ્‍પષ્ટ કર્યું છે કે તેમને કોઈ પણ રાજકીય પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. પોસ્‍ટમાં કહેવાયું છે કે, કેટલાય નાગરિકોની માફક તેમને પણ આશા હતી કે સરકાર અનામત વ્‍યવસ્‍થામાં મોટા પાયે સુધારો કરશે, પણ આવું થયું નહીં.

સંગઠનનું કહેવું છે કે અનામતનો મુદ્દો કોઈ પાર્ટીનો નહીં પણ નીતિનો વિષય છે અને એટલા માટે તેને રાજકીય ચશ્‍માથી ન જોવો જોઈએ. તેમનો દાવો છે કે આ સંપૂર્ણ રીતે નાગરિકો તરફથી ચલાવવામાં આવેલું સ્‍વતંત્ર અભિયાન છે.

આ અનામત હટાવો આંદોલનનું કહેવું છે કે, જો દેશમાંથી જાતિગત ભેદભાવ ખતમ કરવો છે તો સૌથી પહેલા સરકારી વ્‍યવસ્‍થામાં જાતિની ઓળખ સમાપ્ત કરવી પડશે. સ્‍કૂલ, કોલેજ અને નોકરી અને અન્‍ય સરકારી પ્રક્રિયાઓમાં જાતિ પૂછવાની વ્‍યવસ્‍થા ખતમ થાય. દેશમાં એક દેશ, એક ઓળખ ભારતીયની અવધારણા લાગુ થાય. અભિયાનનો અંતિમ નારો છે અનામત હટાવો, જાતિવાદ હટાવો. સીજેપી આંદોલન બાદ વધ્‍યા આવા અભિયાન સીજેપીના ૪૯ દિવસ સુધી ચાલેલું આંદોલન અને તેની માગો પર સરકારી પ્રતિક્રિયા બાદ સોશિયલ મીડિયા જન અભિયાનોને નવી ઊર્જા મળી છે. આ ક્રમમાં હાલમાં જ ઈ૨૦ જનતા પાર્ટી નામથી એક નવું અભિયાન સામે આવ્‍યું છે. આ જૂથ સરકારની ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ નીતિનો વિરોધ કરી રહ્યું છે. તેમની માગ છે કે લોકોને ૧૦૦ ટકા પેટ્રોલ ખરીદવાનો વિકલ્‍પ મળે. સાથે જ કેન્‍દ્રીય સડક પરિવહન મંત્રીના રાજીનામાની પણ માગ થઈ રહી છે. દિલ્‍હી ટેક્‍સી અને ટૂરિસ્‍ટ ટ્રાન્‍સપોર્ટ્‍સ સંગઠનોએ પણ ૪ ઓગસ્‍ટને સંસદનું એલાન કર્યું છે, જેનાથી આ મુદ્દાને વધારે બળ મળવાની સંભાવના છે.

Related posts

નીતિશ કુમારે ૧૦ મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા,બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્‍યમંત્રીઓમાંના એક બન્‍યા

Ahmedabad Samay

નાના પાટેકરે પોતાના નિર્મલા ગજાનન ફાઉન્ડેશન અંતર્ગત આ મુલાકાત લીધી, ૧૧૭ પરિવારોને કુલ ૪૨ લાખની મદદ આપવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

પંઢરપુર યાત્રા દરમિયાન મહારાષ્ટ્ર સરકારની નવી શરૂ કરાયેલી ‘એર એમ્બ્યુલન્સ સેવા’ સાક્ષાત દેવદૂત સાબિત થઈ

Ahmedabad Samay

મોદીની સાથે લગભગ 40 મંત્રીઓએ શપથ લીધા,જાણો તમામ નવા મંત્રી વિશે, આ લોકો બન્યા નવા મંત્રી

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો