September 8, 2026
ગુજરાત

121મા સ્થાપના દિવસે બેંક ઓફ ઈન્ડિયાની 98મી શાખાનો પ્રારંભ ગોદરેજ ગાર્ડન સિટી રોડ ખાતે નવી શાખાનું ભવ્ય ઉદ્ઘાટન, ગ્રાહકોને મળશે વધુ સુલભ બેંકિંગ સેવાઓ

અમદાવાદ, તા. 7: બેંક ઓફ ઈન્ડિયાના 121મા સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ અંચલની 98મી શાખા તરીકે ગોદરેજ ગાર્ડન સિટી રોડ શાખાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેંકના સતત વિસ્તરણ અને ગ્રાહકોને વધુ સારી બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે નવી શાખા શરૂ કરવામાં આવી છે.

નવી શાખાનું ઉદ્ઘાટન અમદાવાદ ફીલ્ડના જનરલ મેનેજર શ્રી અજય કુમાર ત્રિપાઠી દ્વારા ફીતું કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ અંચલના આંચલિક પ્રબંધક શ્રી સુબ્રત કુમાર બેહેરા ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સમારોહમાં ઉપાંચલિક પ્રબંધક શ્રી નરેન્દ્ર ચૌરસિયા, શ્રી રાજેશ ઝા તથા બેંક ઓફ ઈન્ડિયા ઓફિસર્સ એસોસિએશન, ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી શ્રી શ્વેતંગ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત અમદાવાદ અંચલ કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ નવી શાખાના શાખા પ્રબંધક શ્રી આશુતોષ કુમાર સહિત સ્ટાફે કાર્યક્રમમાં હાજરી આપી હતી.

બેંક ઓફ ઈન્ડિયાના 121મા સ્થાપના દિવસ સાથે અમદાવાદ અંચલની 98મી શાખાનો પ્રારંભ બેંકની ગૌરવપૂર્ણ સફર અને ગ્રાહકકેન્દ્રિત બેંકિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો.

Related posts

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

જાણો ક્યાં કારણોસર વડાપ્રધાન મોદીએ એક વર્ષ માટે સોનુ ખરીદવાની ના પાડી

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો