February 5, 2026
દેશ

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ,

એક ભારતીય ઓફિસર સહિત ૩ જવાનો શહીદ,

 ચીનના કેટલાક સૈનિકો પણ મર્યા,

ચીનનું જુઠાણુ… ભારતીય સૈનિકોએ સીમા પાર કરી

છેલ્લા થોડાક સમયથી બંને દેશો વચ્ચે નક્કી થયું હતું કે ચીનની સેના ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪, ૧૫, ૧૭એ થી પાછળ હટશે. ચીન સેના શ્યોક નદી અને ગલવાન  નદીની નજીક આવી હતી. ધીરે ધીરે પાછળ પણ હટી રહી હતી. કાલે નિર્ણય થયો હતો કે ચીની સેના સંપૂર્ણ રીતે પાછળ હટશે. બંને દેશોના આર્મીના અધિકારીના  નિર્ણય બાદ  જ્યારે ચીની સેનાએ પાછળ હટવાનો ઇન્કાર કર્યો હતો ત્યારબાદ હિંસક ઝપાઝપી થઇ.

ભારત અને ચીનની સરહદે છેલ્લા કેટલાક દિવસોથી ચાલતા ઘર્ષણ વચ્ચે ફરી એકવાર LAC પર ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.  ગાલવાન ઘાટીમાં ડી-એસ્કેલેશન પ્રક્રિયા દરમિયાન ગઈકાલે રાત્રે હિંસક અથડામણનો સામનો સેનાએ કરવો પડ્યો હતો. આ ઘટનામાં ૨ સૈનિક સહિત એક ઓફિસર શહિદ થયા છે. આ મામલે બંને પક્ષના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સ્થળ પર બેઠક કરી રહ્યા છે.

જ્યારે ચીનને પણ જવાબી કાર્યવાહીમાં  પાંચ સૈનિકો ગુમાવ્યા હતા, લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીન વચ્ચે હિંસક અથડામણમાં બંને તરફ નુકસાનના અહેવાલો છે. ભારતીય સેનાના ત્રણ જવાનોની શહીદીના અહેવાલો મળી રહ્યા છે. આ અથડામણમાં ચીનના પાંચ સૈનિકના મોત થયા છે. જેને સ્ટ્રેચર પર લઇને જતા જોવા મળ્યા. હાલમાં ચીનને કેટલું નુકસાન  થયું તેના  પર કોઇ વધુ અહેવાલ મળ્યા નથી. એવું જાણવા મળે છે કે ચીનના ૧૧ સૈનિકો પણ ઘાયલ થયા છે.

LAC પર હિંસક અથડામણ બાદ સરકાર એકશન મોડમાં છે, રાજનાથે સૈન્યનના ત્રણેય વડાઓને બોલાવ્યા,  LAC પરની ગઇકાલની ઘટના બાદ કેન્દ્ર સરકાર એકશન મોડમાં છે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સહિત સેનાની ત્રણેય પાંખના વડાઓને બોલાવી બેઠક યોજી સ્થિતિની  સમીક્ષા કરી, બેઠકમાં વિદેશ  મંત્રી જયશંકર પણ હાજર રહ્યા હતા.

લડાખ સરહદે ચીન સાથેની અથડામણમાં શહીદ થયેલા પંજાબ રેજિમેન્ટના કર્નલ સંતોષ બાબુ

Related posts

ભારતીય એથ્લેટ્સે ઇતિહાસ રચ્યો,એથ્લેટમાં ચાર મેડલ જીત્યા, મેડલ જ નહીં, પણ તેમના અતૂટ મનોબળ અને શિસ્તનું પણ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ઘટનાને સરકારે હવે સત્તાવાર રીતે આતંકવાદી હુમલો માન્યો

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

Ahmedabad Samay

PM મોદીએ ટ્વીટર પર સુશાંતસિંહ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો