એક અહેવાલ મુજબ ભારતીય લશ્કરના 20 ફૌજી જવાનોનો શહીદ થયા છે જ્યારે ચીનના 45 જવાન માર્યા ગયા છે. ભારતીય શહીદોની સંખ્યામાં વધારો થઇ શકે છે . અહેવાલો મુજબ બંને તરફથી કોઈ ગોળી ચાલી નથી. પરંતુ બંને દેશના સૈનિકો એકબીજા ઉપર પથ્થરો, લોખંડની જંજીરો અને ડંડાથી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા જેમાં ભારતીય લશ્કરની 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ સહિત ૨૦થી વધુ જવાનો શહીદ થઈ ગયા, ડઝનબંધ ભારતીય જવાનો ઇજાગ્રસ્ત પણ થયા છે. આ અથડામણો ગઈકાલે બપોરથી શરૂ થઈ હતી.
ભારત-ચીન વચ્ચે સરહદ બાબતે વર્ષોથી વિવાદ ચાલુ છે. બંને દેશ વચ્ચે line of actual control ઉપર સત્તાવાર બંટવારો થયો નથી. લદાખમાં ભારતીય સેના દ્વારા રસ્તાઓ નિર્માણ થઇ રહ્યા છે જે અંગે ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીન કહે છે ભારત ચીનના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહી છે.
