June 22, 2026
દેશ

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

કોરોના મહામારીથી વિમાન ઉદ્યોગોને ભારે નુકશાન પહોંચ્યુ છે એવામાં હવે એરઇન્ડિયા તેમના સ્થાયી કર્મચારીઓ માટે એક નવી યોજના લઇને આવી છે તેના હેઠળ તેને સપ્તાહમાં ઓછા દિવસ કામ કરવું પડશે જો કે એરઇન્ડિયાની આ યોજના હેઠળ પાયલટો અને કેબિન ક્રુ સભ્યોને છોડીને સ્થાયી કર્મચારીઓને સપ્તાહમાં ત્રીજે દિવસે કામ કરવાનું વિકલ્પ મળશે જો કર્મચારી આ વિકલ્પની પસંદગી કરે છે તો તેમને ૬૦ ટકા પગાર ચૂકવવામાં આવશે.

આ પ્લાન અંગે એરલાઇનના અધિકારીઓનું કહેવુ છે કે આ યોજનાને લાગુ કરવાના સૌથી મોટો હેતુ કોરોના મહામારી દરમ્યાન એર ઇન્ડિયાની રોકડ પ્રવાહની સ્થિતી સુધારવા અંગે છે.

અધિકારીઓએ જણાવ્યું કે સ્થાયી કર્મચારી આ વિકલ્પની પસંદગી કરશે તેઓ યોજનાને એક વર્ષ સુધી અપનાવી શકે છે. જોકે તેના માટે તેને ૬૦ ટકા જ વેતન કનિદૈ લાકિઅ મળશે, બીજી અકિલા બાજુ અધિકારીઓએ એ પણ કહેવુ છે કે જો કર્મચારી સપ્તાહમાં ઓછા દિવસના કામનો વિકલ્પ પસંદ કરશે તેઓ સપ્તાહના બાકી બચેલા દિવસમાં કોઇ અન્ય રોજગાર કરી શકશે નહી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે લાગુ લોકડાઉન બાદથી જ વિમાન ઉદ્યોગને સહિત નુકશાનનો સામનો  કરવો પડી રહ્યો છે.

Related posts

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કર્યું.

Ahmedabad Samay

ટીમ ઈન્ડિયાની આજે થઇ શાનદાર જીત,ટેસ્ટ ક્રિકેટમાં રનના મામલે ભારતની આ સૌથી મોટી જીત છે.

Ahmedabad Samay

લો હવે ઘરેજ કરીલો કોરોના ટેસ્ટ. ટેસ્ટ માટેની જાણો મહત્વની વાતો

Ahmedabad Samay

નિષ્ણાતોએ ચેતવણી આપી,મહારાષ્ટ્રમાં બહુ ઝડપથી ત્રીજી લહેર આવી શકે છે. પુણેમાં વીકેન્ડ કરફ્યુ લગાવાયું

Ahmedabad Samay

સરકારની ચોખ્ખી આવક માત્ર 35.33 લાખ કરોડ રૂપિયા છે, ત્યારે 53.47 લાખ કરોડનો ખર્ચ કેવી રીતે પૂરો કરવામાં આવશે? ક્યાંથી થશે કમાણી?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો