કોરોના મહામારીથી વિમાન ઉદ્યોગોને ભારે નુકશાન પહોંચ્યુ છે એવામાં હવે એરઇન્ડિયા તેમના સ્થાયી કર્મચારીઓ માટે એક નવી યોજના લઇને આવી છે તેના હેઠળ તેને સપ્તાહમાં ઓછા દિવસ કામ કરવું પડશે જો કે એરઇન્ડિયાની આ યોજના હેઠળ પાયલટો અને કેબિન ક્રુ સભ્યોને છોડીને સ્થાયી કર્મચારીઓને સપ્તાહમાં ત્રીજે દિવસે કામ કરવાનું વિકલ્પ મળશે જો કર્મચારી આ વિકલ્પની પસંદગી કરે છે તો તેમને ૬૦ ટકા પગાર ચૂકવવામાં આવશે.
આ પ્લાન અંગે એરલાઇનના અધિકારીઓનું કહેવુ છે કે આ યોજનાને લાગુ કરવાના સૌથી મોટો હેતુ કોરોના મહામારી દરમ્યાન એર ઇન્ડિયાની રોકડ પ્રવાહની સ્થિતી સુધારવા અંગે છે.
અધિકારીઓએ જણાવ્યું કે સ્થાયી કર્મચારી આ વિકલ્પની પસંદગી કરશે તેઓ યોજનાને એક વર્ષ સુધી અપનાવી શકે છે. જોકે તેના માટે તેને ૬૦ ટકા જ વેતન કનિદૈ લાકિઅ મળશે, બીજી અકિલા બાજુ અધિકારીઓએ એ પણ કહેવુ છે કે જો કર્મચારી સપ્તાહમાં ઓછા દિવસના કામનો વિકલ્પ પસંદ કરશે તેઓ સપ્તાહના બાકી બચેલા દિવસમાં કોઇ અન્ય રોજગાર કરી શકશે નહી. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને ફેલવાથી રોકવા માટે લાગુ લોકડાઉન બાદથી જ વિમાન ઉદ્યોગને સહિત નુકશાનનો સામનો કરવો પડી રહ્યો છે.
