January 20, 2025
ધર્મદેશ

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર મંદિર 80 દિવસ પછી આજથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે.

મહાકાલ મંદિરની મેનેજિંગ કમિટીએ રવિવારે આ માહિતી આપી હતી. મેનેજિંગ કમિટીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાવાયરસ કોવિડ -19 ચેપને ધ્યાનમાં રાખીને આ વર્ષે 9 એપ્રિલથી આ મંદિરમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે શરૂ થયેલા આ રોગચાળાને કારણે મંદિર બીજી વખત બંધ રાખવું પડ્યું હતું.

ઉજ્જૈન મહાકાલ મંદિરના મેનેજિંગ કમિટી દ્વારા જણાવામાં આવ્યાયુ છે કે સવારે 6 વાગ્યે ભક્તો માટે ફરી ખુલા મુકાયા છે. તેમ છતાં, મંદિરના ગર્ભગૃહ અને મંદિરના નંદિ હોલમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં, ભક્તોએ મંદિરમાં ભગવાન મહાકાલના દર્શન માટે ઓન લાઇન બુકિંગ કરવું પડશે. ફક્ત કોવિડ -19 માટે ઓછામાં ઓછી એક રસી આપવામાં આવી છે અથવા જેમને 48 કલાક પહેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ મળ્યો છે તેમને જ મંદિરમાં મંજૂરી આપવામાં આવશે. ભક્તોએ પ્રવેશ સમયે તેનું પ્રમાણપત્ર બતાવવું પડશે.

દરરોજ સવારે 6 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા દરમિયાન 3,500 ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ માટે, પ્રત્યેક બે કલાકના સાત સ્લોટ બનાવવામાં આવ્યા છે અને એક સ્લોટમાં ફક્ત 500 લોકોને પ્રવેશ આપવામાં આવશે.તેવારીએ કહ્યું કે, મંદિરમાં કોવિડ -19 માર્ગદર્શિકાનું સખ્તપણે પાલન કરવામાં આવશે.

Related posts

જમ્મુ એરપોર્ટ પર હુમલા બાદ ભારત-નેપાળ બોર્ડર પર આઠ ડ્રોન મળી આવતાં

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે

Ahmedabad Samay

કોંગ્રેસના કે. રોસૈયાહનું દુઃખદ નિધન

Ahmedabad Samay

સપનામાં સતત દેખાય છે દૂધ, તો જીવનમાં આવી શકે છે આ મોટા ફેરફારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો