May 9, 2026
ગુજરાત

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

કેન્દ્ર સરકારે અનલોક-૨ની જાહેરાત સાથે કેટલીક છુટછાટો આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વેપાર – ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક છૂટછાટો જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવતીકાલથી દુકાને રાત્રે ૮ સુધી તો રેસ્ટોરન્ટ ૯ સુધી ખુલ્લા રહી શકશે.

દુકાન ધારકોને ૧ કલાકની જ્યારે રેસ્ટોરન્ટ માલિકોને ૨ કલાકની વધુ છુટ આપવામાં આવી છે. કર્ફયુમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે ૯ને બદલે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કર્ફયુ ચાલુ રહેશે. મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક એરલાઈન્સ અને પેસેન્જર ટ્રેન્સને પરવાનગી અપાઈ છે.

સ્કૂલો, કોલેજો તેમજ કોચિંગ કલાસ પરનો પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ ઉપરાંત, જુલાઈનો આખો મહિનો આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ બંધ રહેશે. સરકારે જેમને મંજૂરી આપી હોય તેવા ખાસ કિસ્સામાં જ આંતરરાષ્ટ્રીય ફલાઈટને મંજૂરી અપાશે

Related posts

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

રાત્રી કર્ફયુનો સમય ઘટાડીને ૯ વાગ્યાના બદલે ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરાયો

Ahmedabad Samay

પ્રેમ પ્રકરણમાં ઘરેથી ભાગી ગયેલા પ્રેમી યુગલે હોટલના રૂમમાં એકબીજાના હાથની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

ધ કશ્મીર ફાઇલ મુવી જોવા એમ.કે.ચશ્મા ઘર દ્વારા આપવામાં આવી આકર્ષક ઓફર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો