January 17, 2026
ગુજરાત

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાયા છે જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ લઈ જવાયા હોવાની માહિતી મળી છે.

મીડિયા અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રવિવારે કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અનુજ પટેલની ખબર અંતર પૂછવા માટે કે.ડી. હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અનુજ પટેલ સાથે મુંબઈ ગયા હોવાની માહિતી છે. અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. પુત્રની નાદુરસ્તીના લીધે મુખ્યમંત્રીએ હાલના તેમના કાર્યક્રમો સ્થગિત કર્યા છે. આથી જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં પણ સીએમ હાજર નહીં રહી શકે.

CM જામનગરમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર રહેશે 

જણાવી દઈએ કે, આ વર્ષે જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે થઈ રહી છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. માહિતી છે કે જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

Related posts

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

વેપારીઓને મોટી રાહત,આજ થી સાંજે ૦૬ વાગ્યા સુધી ખુલ્લી રખાશે દુકાનો

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો