May 9, 2026
ગુજરાત

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

કેન્દ્ર સરકારે અનલોક-૨ની જાહેરાત સાથે કેટલીક છુટછાટો આપ્યા બાદ ગુજરાત સરકારે પણ વેપાર – ધંધાને પ્રોત્સાહન મળે તે હેતુથી કેટલીક છૂટછાટો જાહેર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં આવતીકાલથી દુકાને રાત્રે ૮ સુધી તો રેસ્ટોરન્ટ ૯ સુધી ખુલ્લા રહી શકશે.

દુકાન ધારકોને ૧ કલાકની જ્યારે રેસ્ટોરન્ટ માલિકોને ૨ કલાકની વધુ છુટ આપવામાં આવી છે. કર્ફયુમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે ૯ને બદલે રાત્રે ૧૦થી સવારે ૫ સુધી કર્ફયુ ચાલુ રહેશે. મર્યાદિત સંખ્યામાં ડોમેસ્ટિક એરલાઈન્સ અને પેસેન્જર ટ્રેન્સને પરવાનગી અપાઈ છે.

સ્કૂલો, કોલેજો તેમજ કોચિંગ કલાસ પરનો પ્રતિબંધ યથાવત રહ્યો છે. આ ઉપરાંત, જુલાઈનો આખો મહિનો આંતરરાષ્ટ્રીય ફલાઈટ્સ બંધ રહેશે. સરકારે જેમને મંજૂરી આપી હોય તેવા ખાસ કિસ્સામાં જ આંતરરાષ્ટ્રીય ફલાઈટને મંજૂરી અપાશે

Related posts

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં ના  બ્રહ્મચારી ના ડેલામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

ગુજરાતમાં ૦૪ વોટર એરોડ્રોઅમ શરૂ કરાશે

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો