May 15, 2026
ગુજરાત

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોરોનાના સમયમાં બંધ કરી દેવાયો હતો. જો કે તબક્કા વાર સરકાર દ્વારા હવે એક પછી એક અનલોકની જાહેરાત કરીને ભીડભાડવાળી જગ્યાઓને શરતોનું પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી અપાઇ રહી છે. પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોઇ પણ શરતે ખોલવામાં આવતો નથી. પરિણામ સ્વરુપે દર્દીનાં સગાંઓને એક કિ.મી. ફરીને અવરજવર કરવી પડે છે.

કેન્સર હોસ્પિટલ પાસે ગેટ નં. ૦૬નો મુખ્ય દરવાજો છેલ્લાં છ મહિનાથી કોરોનાનાં કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ નં. ૦૬ ની બાજુમાં ચાલીને જવા માટે દરવાજો ચાલુ હતો. આ ગેટમાંથી દર્દીઓ તથા તેનાં સગાંઓ સીધાં જ ઓપીડી અને કેન્સર હોસ્પિટલમાં સીધી અવરજવર કરી શકતા હતાં. ન્યુ સિવિલ પોસ્ટ ઓફીસ, આયુર્વેદિક બોર્ડ, ફાર્મસી બોર્ડ, નર્સિંગ રજીસ્ટ્રેશન બોર્ડ વગેરે ઓફીસો આવેલી હોવાંથી તેનાં કામથી આવતાં લોકો માટે પણ સરળતા હતી. પરંતુ આ ગેટ કોરોના ના કારણે ૦૬ માસથી  બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Related posts

હેડ.કોન્સ્ટેબલ જ નીકળ્યો બુટલેગર, તો નશાબંધી કેવીરીતે શક્ય ?

Ahmedabad Samay

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

Ahmedabad Samay

આ મહિનાના અંતમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં છુટાછવાયા સ્‍થળોએ ફરી માવઠાની શક્‍યતા

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો