March 12, 2026
ગુજરાત

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોરોનાના સમયમાં બંધ કરી દેવાયો હતો. જો કે તબક્કા વાર સરકાર દ્વારા હવે એક પછી એક અનલોકની જાહેરાત કરીને ભીડભાડવાળી જગ્યાઓને શરતોનું પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી અપાઇ રહી છે. પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોઇ પણ શરતે ખોલવામાં આવતો નથી. પરિણામ સ્વરુપે દર્દીનાં સગાંઓને એક કિ.મી. ફરીને અવરજવર કરવી પડે છે.

કેન્સર હોસ્પિટલ પાસે ગેટ નં. ૦૬નો મુખ્ય દરવાજો છેલ્લાં છ મહિનાથી કોરોનાનાં કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ નં. ૦૬ ની બાજુમાં ચાલીને જવા માટે દરવાજો ચાલુ હતો. આ ગેટમાંથી દર્દીઓ તથા તેનાં સગાંઓ સીધાં જ ઓપીડી અને કેન્સર હોસ્પિટલમાં સીધી અવરજવર કરી શકતા હતાં. ન્યુ સિવિલ પોસ્ટ ઓફીસ, આયુર્વેદિક બોર્ડ, ફાર્મસી બોર્ડ, નર્સિંગ રજીસ્ટ્રેશન બોર્ડ વગેરે ઓફીસો આવેલી હોવાંથી તેનાં કામથી આવતાં લોકો માટે પણ સરળતા હતી. પરંતુ આ ગેટ કોરોના ના કારણે ૦૬ માસથી  બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Related posts

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

ત્રીજી ટર્મના મંત્રીમંડળમાં ગુજરાત માંથી કોનો સમાવેશ થાય થયા તે અંગે અંગે અટકળો તેજ બની

Ahmedabad Samay

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો