March 24, 2026
ગુજરાત

સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદ મુદ્દે રાહત કમિશનરે  નિવેદન આપ્યું છે. સૌરાષ્ટ્રમાંથી ૪૦૦થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં વહીવટી તંત્ર દ્વારા ૪૫થી વધુ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે આશરે ૫૭ ગામનો સંપર્ક વિહોણા થયા છે.

તેમજ સૌરાષ્ટ્રના ૩૫૯ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ઉપરાંત આશરે ૨૦૯ જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ ૧૩ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે મુખ્યપ્રધાન, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યાં છે. બચાવ અને રાહત સામગ્રી પહોંચાડવાના પ્રયાસ ચાલુ કરવામાં આવ્યા છે. તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવ્યા છે.

Related posts

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ (RSS)આવ્યું દેશની મદદે

Ahmedabad Samay

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અને અમદાવાદની પ્રખ્યાત એઈમ્સ હોસ્પીટલ દ્વારા વિરમગામ શહેર માં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો