June 22, 2026
ગુજરાત

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોરોનાના સમયમાં બંધ કરી દેવાયો હતો. જો કે તબક્કા વાર સરકાર દ્વારા હવે એક પછી એક અનલોકની જાહેરાત કરીને ભીડભાડવાળી જગ્યાઓને શરતોનું પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી અપાઇ રહી છે. પરંતુ શહેરની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. ૦૬ કોઇ પણ શરતે ખોલવામાં આવતો નથી. પરિણામ સ્વરુપે દર્દીનાં સગાંઓને એક કિ.મી. ફરીને અવરજવર કરવી પડે છે.

કેન્સર હોસ્પિટલ પાસે ગેટ નં. ૦૬નો મુખ્ય દરવાજો છેલ્લાં છ મહિનાથી કોરોનાનાં કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ નં. ૦૬ ની બાજુમાં ચાલીને જવા માટે દરવાજો ચાલુ હતો. આ ગેટમાંથી દર્દીઓ તથા તેનાં સગાંઓ સીધાં જ ઓપીડી અને કેન્સર હોસ્પિટલમાં સીધી અવરજવર કરી શકતા હતાં. ન્યુ સિવિલ પોસ્ટ ઓફીસ, આયુર્વેદિક બોર્ડ, ફાર્મસી બોર્ડ, નર્સિંગ રજીસ્ટ્રેશન બોર્ડ વગેરે ઓફીસો આવેલી હોવાંથી તેનાં કામથી આવતાં લોકો માટે પણ સરળતા હતી. પરંતુ આ ગેટ કોરોના ના કારણે ૦૬ માસથી  બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

Related posts

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

ઇલેક્ટ્રિક વાહન પર સરકાર આપશે સબસીડી

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ લવ જેહાદને લઈ મોટુ નિવેદન આપ્યું

Ahmedabad Samay

149મી રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો