February 5, 2026
ગુજરાત

લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે: હાઇકોર્ટ

કોરોના અંગે થયેલી સુઓમોટો અંગે હાઇકોર્ટે સુનાવણી કરતા સરકારની આકરી ઝાટકણી કાઢી છે. સરકાર સામે લાલ આંખ કરતા હાઇકોર્ટે નોંધ્યું કે, સરકાર કે તંત્ર હાલ કોઇ નાગરિકોનું સુધ લેવાવાળું નથી. તેવામાં કોરોના કાબુ કઇ રીતે થશે તેનો પણ કોઇ રોડમેપ સરકાર પાસે નથી. તેવામાં લોકડાઉન કરો અથવા નિયમો કડક બનાવો આ પ્રકારે લાચાર તંત્રથી કોરોના કાબુમાં નહી આવે અને મુશ્કેલીમાં ઓર વધારો થશે.

Svp હોસ્પિટલની મનમાની સામે પણ હાઇકોર્ટે લાલઆંખ કરી હતી. Svp માં રેમડેસિવિર સ્ટોક હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં ઇન્જેકશન પહોંચતા નથી. આ પ્રકારની તુમાખી ચલાવી લેવામાં નહી આવે. Svp માં ઇન્જેકશનના સ્ટોક અંગે સરકાર તપાસ કરે. નાગરિકો ટળવળી રહ્યા છે અને હોસ્પિટલ કોઇને ઇન્જેક્શન પુરા નથી પાડી રહી

દર્દીઓને એક હોસ્પિટલમાંથી બીજા હોસ્પિટલમાં લઇ જવા 108ને હાઇકોર્ટે આદેશ આપ્યો હતો. 108 હોસ્પિટલમાં દર્દીને ઉતાર્યા બાદ અન્ય જગ્યા પર લઇ જતા નથી તેવું હવે નહીં ચાલે તેમ પણ હાઇકોર્ટે નોંધ્યું હતું. રાજ્યમાં રેપિડ કરતા rtpcr ના ટેસ્ટિંગ પર ભાર મુકવા માટે પણ હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું

ઓક્સીજન સહીત કોવિડમાં વપરાતી દવાઓના ભાવમાં ઘટાડો કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો. ગ્રામ્ય વિસ્તારમાં ICU વેન્ટિલેટર સહીતની સુવિધાઓ પર ભાર મુકવા હાઇકોર્ટનો આદેશ. ગ્રામ્ય વિસ્તારોમાં રેમડેસિવિર અને ટોસિલિઝુબેમ મળે છે કે નહિ તે અંગે ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે.

તાલુકામાં કોરોના અંગે કોર કમિટી બનાવી મેડિકલ સુવિધાઓ પુરી પાડો.108માં આવતા ક્રિટીકલ દર્દીઓની વિગત સરકાર ધ્યાન રાખે. નાગરિકોનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારની છે હાઇકોર્ટની નહી. આ પ્રકારનાં આદેશો આપ્યા બાદ સરકાર સફાળી બેઠી થાય છે. તો સરકાર શું હાઇકોર્ટ ટકોર કરે તેની રાહ જોઇ રહી હોય

Related posts

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે બુધવારે સી-ફ્લડ નામની સિસ્ટમ લોન્ચ કરી,બે દિવસ અગાઉથી ગ્રામ્ય સ્તરે પુરની ચેતવણીઓ આપવાશે

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

અમદાવાદ – ઘાટલોડીયા, વાડજ સહિતના અમદાવાદમાં બની રહેલા ત્રણ બ્રિજોનું થશે ખાતમૂહુર્ત,

Ahmedabad Samay

CMના હસ્તે 8.88 કરોડના ખર્ચે તૈયાર થયેલા લાલા દરવાજાના નવા એએમટીએસ બસ સ્ટેન્ડનું આજે થશે ઉદઘાટન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો