November 17, 2025
ગુજરાતધર્મ

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી. આ અવસર પર મહંત 108 અનુપમદાસજી ગુરુ 1008 સંતદાસજી (ગિરનારીબાપુ)ની ચાદર વિધી વિધિપૂર્વક સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે રાજ્ય સહિત દેશભરમાંથી આશરે 250થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જગન્નાથ મંદિરના જગતગુરુ દિલીપદાસજી મહારાજ, ડાકોરના મહામંડલેશ્વર જયરામદાસજી મહારાજ તથા પંચમુખી હનુમાન મંદિરના મહામંડલેશ્વર ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી જેવા અગ્રણી સંતોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ અંગે અશોકસિંહે જણાવ્યું કે મહંત રામબાલકદાસજી ગુરુ સંતદાસજીના 8 સપ્ટેમ્બરના સાકેતવાસ બાદ તેમનો ભંડારો રવિવારે યોજાયો હતો, જેમાં હજારો ભક્તોએ પ્રસાદી લીધી હતી. ધર્મસભા દરમિયાન મહંત અનુપમદાસજીએ ગૌ સેવા, સમાજ સેવા અને સનાતન એકતા જેવા વિષયો પર ભાર મૂક્યો હતો. સંતોએ એક સ્વરથી સંકલ્પ લીધો કે સૌ મળી સનાતન ધર્મના પ્રચાર અને સમાજને એકમંચ લાવવાના પ્રયત્નો ચાલુ રાખશે.

Related posts

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

અમદાવાદ-બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી

Ahmedabad Samay

જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના અધ્યક્ષપદે રોડ સેફટી કમિટિની બેઠક યોજાઈ

Ahmedabad Samay

રાજ્યમાં ૧૬ જેટલા પી.આઇ ની બદલી કરાઈ

Ahmedabad Samay

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો