March 23, 2026
દેશ

યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો ગંગા નદીએ મળી આવી

ઉત્તર પ્રદેશમાં ગંગા નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહો મળી આવતા હોવાનું બહાર આવ્યુ છે. જાણવા મળે છે કે ગામડાઓમાં કોરોનાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે અને લાકડાઓની અછત તથા અન્ય વ્યવસ્થા ન હોવાને કારણે લોકો ગંગા નદીમાં જ મૃતદેહો પ્રવાહીત કરવા મજબૂર બની રહ્યા છે. તો બીજી તરફ હવે ગંગા કિનારે રેતીમાં પણ મૃતદેહોને દફન કરવાની વાત સામે આવી રહી છે. આ દરમિયાન એક રીપોર્ટ અનુસાર યુપીના ૨૭ જિલ્લાઓમાં ૧૧૪૦ કિ.મી.ના દાયરામાં ૨૦૦૦થી વધુ મૃતદેહો પાણીની સપાટી પર મળી આવ્યા છે.

રીપોર્ટ અનુસાર કાનપુર, કન્નોજ, ઉન્નનાવ, ગાજીપુર અને બલીયામાં સ્થિતિ અત્યંત ખરાબ છે. કન્નોજમાં ગંગા કિનારે ૩૫૦થી વધુ મૃતદેહો દફન છે તો કાનપુરમાં ગંગા કિનારે અને પાણીમાં ચારેતરફ લાશો જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ તો લાશોને શ્વાન અને કાગડાઓ નોચી રહ્યા છે. રીપોર્ટમાં એવુ પણ કહેવાય છે કે પ્રશાસન આ લાશો પર માટી નાખવાનું કામ કરી રહેલ છે.

જ્યારે વરસાદ થશે તો રેતીમાં દબાયેલા મૃતદેહો બહાર નિકળી આવશે હવે તંત્રએ લોકોને અપીલ કરી છે કે મૃતદેહોને પાણીમાં ન વહાવે અને તેના અગ્નિસંસ્કાર કરે, માઈક દ્વારા આવી અપીલ થઈ રહી છે. પોલીસની ટીમ સતત ગંગા કિનારે પેટ્રોલીંગ કરી રહી છે. એવુ પણ કહેવાય છે કે જો કોઈ ગરીબ દાસંસ્કાર કરી ન શકે તો તેણે તંત્રને જાણ કરવાની રહેશે.

Related posts

કોરોનાની નવી ગાઈડલાઈન બહાર આવી, હોમ હોકોરોન્ટાઇન હવે ૦૭ અને હળવા કેસમાં ૧૦ દિવસે રજા

Ahmedabad Samay

વંદે માતરમ વગાડવામાં આવે ત્‍યારે દરેક વ્‍યક્‍તિએ ઉભા રહેવું હવે થી આવશ્‍યક

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો