June 22, 2026
દેશમનોરંજન

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અક્ષયની કુમારની ‛સૂર્યવંશી’ પર પડી ભારે, ૩ દિવસમાં કરી ૧૦૦ કરોડની કમાણી

હાલમાં જ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ અને અક્ષય કુમાર, અજય દેવગણ અને રણવીર સિંહ સ્ટારર ડિરેકટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સુર્યવંશી’ રીલિઝ થઇ છે. જેમાં ‘સુર્યવંશી’ ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સિનેમાદ્યરોમાં પહોંચ્યા હતા. પણ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ૪ નવેમ્બરે રીલિઝ થઇ હતી અને આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડની કમાણી કરી દીધી હતી. ટ્રેડ એનાલિસ્ટ કૌશિક એલએમએ સોશીયલ મીડિયામાં રજનીકાંતની ફિલ્મ ‘અન્નતે’ ની બોકસ ઓફિસ કલેકશન શેર કર્યું હતું. જેમાં આ ફિલ્મે માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડના આંકડાને પાર પાડ્યો હતો. રજનીકાંતની ફિલ્મ જયારે પણ રીલિઝ થાય છે ત્યારે દક્ષિણ ભારતના દર્શકો ઘણી ધુમધામથી તેની ફિલ્મ જોવા માટે જાય છે.

અક્ષય કુમાર, કેટરીના કૈફ, રણવીર સિંહ અને અજય દેવગણ સ્ટાર ફિલ્મ ‘સુર્યવંશી’ બોકસ-ઓફિસ પર સારી કમાણી કરી છે. પહેલા અને બીજા દિવસ બાદ ત્રીજા દિવસે પણ ફિલ્મે બોકસ-ઓફિસ પર બંપર કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મે કુલ ૩ દિવસમાં ૭૦ કરોડથી વધુનું કલેકશન કરી લીધું છે.

‘સુર્યવંશી’ ફિલ્મે બોકસ-ઓફિસ પર પહેલા દિવસે ૨૬.૨૯ કરોડ, બીજા દિવસે ૨૩.૮૫ કરોડની કમાણી કરી હતી. તો ત્રીજા દિવસે બોકસ-ઓફિસ પર છપ્પર ફાડ કમાણી કરતા ૨૬.૯૪ કરોડની કમાણી કરી લીધી છે. આમ આ ફિલ્મે ૩ દિવસમાં કુલ ૭૭.૦૮ કરોડનું કલેકશન કર્યું છે.

વિદેશમાં આ ફિલ્મે અપેક્ષા કરતા વધુ સારી કમાણી કરી છે. જેમાં પહેલા દિવસે ૮.૧૦ કરોડ, બીજા દિવસે ૮.૫૮ કરોડની કમાણી સાથે કુલ ૧૬.૬૮ કરોડની કમાણી કરી છે. ‘સુર્યવંશી’ ફિલ્મને દિવાળી વેકેશનનો ફાયદો મળી રહ્યો છે. જોકે નિષ્ણાંતો કહી રહ્યા છે કે આવનારા સપ્તાહમાં આ ફિલ્મ ૧૦૦ કરોડની કમાણીના આંકડાને પાર કરી દેશે

Related posts

નવી ફિલ્મમાં રણવીર સિંહે આપ્યા જબરદસ્ત બોલ્ડ સીન્સ, પત્ની દીપિકા પાદુકોણ પણ જોઈને ચોંકી ગઈ

Ahmedabad Samay

અરબાઝ ખાનને સૂતી વખતે એક જ ડર લાગતો હતો, જ્યારે મલાઈકાએ અરોરા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરતા તેણે મને કહ્યું…

Ahmedabad Samay

શાકભાજીના ટ્રકથી લઈને તમારા ઘરઆંગણે કરિયાણા પહોંચાડતી બાઇક સુવિધાઓ થશે મોંઘી

Ahmedabad Samay

પ્રેમનો માસ ફેબ્રુઆરીમાં અમિતાભ બચ્ચનની સિલસિલા, શ્રીદેવીની ‘ચાંદની’ અને અન્ય મુવી 4Kમાં થશે ફરી રિલીઝ

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો