June 24, 2026
દેશ

મહારાષ્ટ્રમાં ૨૧ લોકોમાં કોરોનાના નવો વેરીયન્ટ જોવા મળ્યા,૦૭ ગામમાં લોકડાઉન

મહારાષ્ટ્રમાં ૨૧ લોકોમાં કોરોનાના નવો વેરીયન્ટ જોવા મળ્યા છે. જેમાંથી બે લોકોની ટ્રાવેલ હીસ્ટ્રી ગુજરાતના સુરતની છે. જેની સ્વાસ્થ્ય વિભાગ સજાગ બન્યુ છે. હવે શહેરમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર ટેસ્ટીંગ અને આરટીપીસીઆરના નમુનાની જીનોમ સિક્રેસીંગ શરૂ કરાયું છે.

ભલે મહારાષ્ટ્રમાં સુરતના ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવતા લોકોમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ મળ્યો હોય પણ ગુજરાતમાં આ વેરીયન્ટનો હજી સુધી કોઇ પોઝીટીવ કેસ નથી નોંધાયો. મહારાષ્ટ્રના આ બે લોકો સુરતમાં લગ્ન સમારંભમાં સામેલ થયેલ. બન્ને જ્વેલર્સ મુંબઇ પહોંચ્યા બાદ પોઝીટીવ આવ્યા હતા. અને ટેસ્ટ બાદ તેઓમાં નવો ડેલ્ટા પ્લસ વેરીયન્ટ હોવાનું માલુમ પડેલ.

 

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરની ભલે ઓછી થઇ ગઇ હોય, પરંતુ અહીંના કેટલાક જિલ્લાઓમાં વધી રહેલા પોઝિટિવ કેસોને પગલે લોકડાઉન લગાવવાની સ્થિતી ઉભી થઇ છે. તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા કોરોના હોટસ્પોટ બનેલા બારામતીના ૭ ગામોમાં ૭ દિવસ લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું કાટેવાડી ગામ પણ સામેલ છે. હાલ અહીં ૯૫૦થી વધુ એકિટવ કેસો છે. જેના કારણે સંક્રમણ ફેલાવવાનું જોખમ મંડરાઇ રહ્યુ છે.

Related posts

ભારતે સેમિકન્‍ડક્‍ટર ટેકનોલોજીમાં એક મોટો સીમાચિ હાંસલ કર્યો, દેશમાં બનેલી પ્રથમ સેમિકન્‍ડક્‍ટર ચિપ લોન્‍ચ કરવામાં આવી

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

બેંક ઓફ બરોડા કર્મચારીઓના એક વર્ગ માટે કાયમી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવવા પર વિચાર કરી રહી છે.

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

હિંસાની આગમાં સળગતું મણિપુર! અત્યાર સુધીમાં 75થી વધુ મોત, અમિત શાહ 3 દિવસના પ્રવાસે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો